________________
પૂર્વમાં ફેરવી નાંખો. નહિતર ગામ ઉડાડી નાંખીશ. રોહકના પિતા અને બીજા બધા ચિંતામાં !
રોહકે ઉપાય બતાવ્યો - ગામડામાં કાચા ઘરો હતા. તેને ઉખેડી વનની પેલી બાજુ ગામ વસાવો. એટલે વન પૂર્વમાં આવી જશે.
વળી એકવાર રાજાએ કહેડાવ્યું કે તમારી કૂઇનું મીઠું પાણી અમારે વાપરવું છે માટે તમારી ફૂઇને તાત્કાલિક અહીં મોકલો રાજાની આજ્ઞા થઇ આખુ ગામ ચિંતાતુર. બની ગયું હવે શું કરવું? એટલામાં રોહકે આ કોયડો ઉકેલ્યો. તેણે રાજાને એક ચિઠ્ઠી લખી - કે અમારી ગામડાની કૂઇ ઘણી શરમાળ છે. તમારો કૂવો લેવા મોકલો તો પરણાવીને મોકલીએ.
અભયકુમારની કૂવામાંથી વીંટી કાઢવી. આ પણ ઓત્પાતિકી બુદ્ધિ છે. જે વાતો શાસ્ત્રોમાં ન લખી હોય પણ પોતાની બુદ્ધિથી ઉપજેલો જવાબ આપે. તે ત્યાતિની વૃહિ કહેવાય.
નાના સાધુને કોકે પ્રશ્ન કર્યો. તમે સર્વજ્ઞના પુત્રો છો તો આ નગરમાં કેટલા કાગડા છે ? નાના સાધુએ જવાબ આપ્યો – ૬૬૬૩૬. તમે ગણી લો. વધારે નીકળે તો એમ સમજ્જો કે મહેમાન કાગડા બીજેથી આવ્યા છે ઓછા નીકળે તો એમ સમજજો કે અહીંથી બહાર ગયા હશે.
એકવાર પ્રશ્ન કર્યો કે હાથીનું વજન કેટલું ?
હવે હાથીનું વજન કેવી રીતે કરવું ? એક નાવમાં હાથી બેસાડ્યો. હાથી ને લીધે નાવ જેટલી ડૂબી. તેટલી નિશાની કરી. પછી નાવમાં પથરા ભર્યા. પેલી નિશાની સુધી નાવ ડૂબે તેટલા પથરા ભર્યા. અને પછી પથરાનું વજન કરી લીધું. આટલું હાથીનું વજન થયું. આ ઓત્પાતિક બુદ્ધિ કહેવાય.
કાગડો કેમ વિષ્ટા ચૂથે ? જલે વિષ્ણુ થલે વિષ્ણુ - શાસ્ત્રમાં જણાવ્યું છે તે જોવા આ પણ ઓત્પાતિક બુદ્ધિના દષ્ટાંતો છે.
વૈન કી બુદ્ધિ - બે શિષ્ય - બંને જ્યોતિષ જ્ઞાન જાણે. એક વાર એક ડોશીએ પૂછ્યું, મારો બેટો પરદેશથી ક્યારે આવશે ? તે જ વખતે ડોશીના માથેથી ઘડો ફૂટી ગયો.
એક શિષ્ય જવાબ આપ્યો - તારો દીકરો મરી ગયો છે.
બીજો શિષ્ય કહે – દીકરો ઘરે રાહ જોતો હશે. ડોશીમાં ઘરે ગયા.
ઉદાસીનતાનો ધોધ-આગમ
જુES: .
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org