SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ.આ. બપ્પભટ્ટસૂરિ મ.સા. રાજાના મન ખાતર હાથીના હોદ્દા પર બેઠા. બહારથી વૈભવી દેખાય પણ અંદરથી ત્યાગી હતા. બાહ્ય આચારમાં શિથિલતા ભલે આવી. પણ અંદરથી વૈરાગ્ય એવો જ ઝળહળતો હતો. હાથીના હોદ્દા પર સવારી કરનાર બપ્પભટ્ટસૂરિ અંદરના જીવનમાં છ વિગઇના ત્યાગી હતા. અત્યંતર સાધુત્વ, નિષ્પરિગ્રહત્વ, બ્રહ્મચર્યત્વ એવું જ સાચવ્યું. આવા આચાર્યોના સંઘ સંચાલનના કારણે અવિચ્છિન્ન આગમો મળ્યા. પોતે સેવેલા શિથિલ આચારને કારણે શાસ્ત્રમાં પણ એમણે ફેરફાર નથી કર્યો. આ પ્રમાણે આવા આચાર્યો અને યતિઓથી સુરક્ષિત શ્રતથી આપણને આ આગમો મળ્યા છે. નંદિસૂત્ર - વલ્લભીપુરમાં વાચના થઇ. તે દેવવાચક વડે નંદીસૂત્રમાં સંગ્રહિત થઇ છે. નંદી એટલે મંગળ. નંદીનો અર્થ જ્ઞાન પણ થાય . જ્ઞાન આપણને હંમેશા આનંદમાં રાખી શકે. કોઇપણ ઉત્તમવિધિ હોય.. દીક્ષાના વિધિ ત્યારે નંદી સૂત્ર સંભળાવે. ઉપધાનમાં પ્રદક્ષિણા દઇ. નવકાર ગણીએ તે નંદિવિધિ કહેવાય. આખા નંદીસૂત્રમાં માહિતી આપી છે. અને અનુયોગમાં તે કઇ રીતે સમજાવવું ? તેની પદ્ધતિ આપી છે. નંદી એટલે પોઠિયો પણ થાય. નંદી એટલે મંગલ વાજીં. નંદી એટલે મોટું પાત્ર. નંદી એટલે જ્ઞાન...માત્ર જ્ઞાન જ એવી ચીજ છે કે જે આપણને આનંદમાં રાખી શકે.. જ્ઞાની ક્યારેય પણ પોતાના સ્વભાવની લીનતા ગુમાવતા નથી. નંદીમાં પાંચ જ્ઞાનની સમજણ આપવામાં આવી છે. જ્ઞાન બે પ્રકારનું છે. ૧) પરોક્ષ ૨) પ્રત્યક્ષ ૧) જે જ્ઞાન ઇંદ્રિયો વડે થાય તે પરોક્ષ જ્ઞાન કહેવાય. ૧) મતિજ્ઞાન ૨) શ્રુતજ્ઞાન ૨) જે જ્ઞાન ઇન્દ્રિયો વિના સાક્ષાત્ આત્માથી થાય તે પ્રત્યક્ષજ્ઞાન કહેવાય.તે ત્રણ છે. ૧) અવધિજ્ઞાન ૨) મનઃ પર્યવજ્ઞાન ૩) કેવળજ્ઞાન. અવધિજ્ઞાન - અવધિદર્શનનું જોડલું છે. તેમ કેવળજ્ઞાન કેવળદર્શનનું પણ જોડલું જ છે. કારણ કે જોવું અને જાણવું સાથે જ ચાલે. અવધિ એટલે સીમા મર્યાદાવાળું જ્ઞાન મર્યાદામાં રહેલા રૂપી પદાર્થનું સાક્ષાત્ આત્માથી જ્ઞાન કરવું તે અવધિજ્ઞાન કહેવાય. તે અવધિજ્ઞાનના પ્રતિપાતિ અપ્રતિપાદિત હાયમાન વર્ધમાન એમ અનેક ભેદો છે. દુનિયાના ૬ ટુકડા છે. ટુકડાના ટુકડા કર્યા જ કરો. તો કેટલા થાય ? વિરાટ એવા જ્ઞાનના ઘણા વિભાગો છે. હિંદુસ્તાનના રાજ્ય કેટલા ? રાજ્યના જિલ્લા કેટલા ? જિલ્લાના ગામડા કેટલા..? જેમ આગળ જાવ તેમ વધારે વિભાગ પડે. તેમ મતિજ્ઞાનના પણ ઘણા વિભાગો છે. Sી જોડીક સૂક્ષ્મની શકિત-આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy