________________
- સ્મૃતિધર બ્રાહ્મણોની આપણે ત્યાં પરંપરા હતી. સાડત્રીસ લાખ શ્લોક કોઇ ટેપ ન કરી શક્યા. ટેપની સગવડ ન હતી. લખી ન શકયા શ્રતધર મુનિઓ માટે દોષો ગૌણ અને સ્વાધ્યાય મુખ્ય હોય છે.
શ્રતનું સંરક્ષણ અને બોધિની સુરક્ષા માટે આપણી આખી આચારસંહિતા છે આ બેની રક્ષા માટે બધા જ અપવાદો સેવી શકીએ. આવું બૃહતકલ્પ છેદસૂત્રમાં કહ્યું છે.
પૂ. ભદ્રબાહુસ્વામીના સમયમાં પહેલી આગમ વાચના થઇ. સ્થૂલિભદ્રજીએ મૂળથી ૧૪ પૂર્વ અને અર્થથી ૧૦ પૂર્વ મેળવ્યા. પૂર્વ વજસ્વામી સુધી ચાલ્યા. યુગપ્રધાન મુનિનો પ્રભાવ તીર્થકર જેવો જ હોય છે. એમના પ્રભાવથી અઢી યોજન સુધી મારી મરકી વિગેરેનો નાશ થાય છે.
દુષ્કાળમાં આર્યવનસેન અને આર્યરક્ષિત બે ધૃતધર વજસ્વામીના વારામાં આવી પડેલા દુષ્કાળમાં બચ્યા. આ મુનિઓ ધીમે ધીમે સાડાનવ પૂર્વ.. પછી નવ પૂર્વ એમ શ્રુત વિચ્છેદ પામતું ગયું.
એ આપણને શ્રુત બચાવી આપ્યું. એમની યાદમાં વયરી શાખા રાખી છે. નાગાર્જુનની વાચના મથુરામાં થઇ.
દેવર્ધ્વિગણિક્ષમાશ્રમણની નિશ્રામાં વલ્લભીપુરમાં વાચના થઇ. તે સમયે જે ઉપલબ્ધ સૂત્રો હતા તેનો પરિચય નંદીસૂત્રમાં મૂકી દીધો. ત્યાં સુધી શ્રુત સ્મૃતિમાં હતું. ગ્રંથમાં ન હતું. જેથી અપાત્રને રહસ્યો ન મળે. ગુરૂદ્વારા સુપાત્રને બધુ જ બતાવી શકાય.
ત્યાર પછી ગ્રંથારુઢ થયું. જે રીતે લખાયેલું તે જ રીતે આપણા સુધી આવ્યું છે.
દેવર્કિંગણી સુધી કોઇ કુળ ધર્મની મર્યાદાઓ બંધાયેલી હતી નહિ. કોઇના ઘરમાં શ્રુત મૂકી ન શકાય. ઘર કાલે ધર્મ બદલી નાંખે તો...! શ્રુતને રાખવું ક્યાં ? દુષ્કાળમાં ઘણા ગ્રંથો વિચ્છેદ થયા..
વનવાસ ગચ્છમાં ચૈત્યવાસ શરૂ થયો ગૃહસ્થના હાથમાં ન જાય અને શ્રુતની રક્ષા થાય તે માટે શ્રુત મંદિરમાં રાખવાની શરૂઆત થઇ. અજેનોના આશ્રમને મઠ કહેવાય. શૈવ મઠ. તેમ જૈનોના આશ્રમને પણ મઠ કહેવાય. તેને જૈન મઠ કહેવાય. તેમાં પાસત્થા સાધુ રહે. જે સાધુ ઉપાશ્રયમાં સ્થિર રહે તે પાસવ્વા કહેવાય અને તે ઉપાશ્રયમાં રહેલા શ્રુતને સાચવે.. પાંચમી છઠ્ઠી સદીથી ઉપાશ્રયમાં રહેલા કૃતને સાચવવાનું ચાલું થયું. ગુજરાત મારવાડ આ બધા પ્રદેશો આચાર્યોએ શ્રુતની રક્ષા માટે કવર કર્યા.
જો રાજાઓને બરાબર સાચવીએ નહિ તો શ્રતની રક્ષા થાય નહિ. આથી
શાસનનું શાસન-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org