________________
શ્રી નંદિસૂત્ર શ્રી અનુયોગદ્વાર સૂત્ર
પૂ. મુનિરાજશ્રી ધુરંધરવિજયજી
આજે આપણે મહત્ત્વના બે આગમ ઉપર વિચાર કરવો છે. આગમ શબ્દ માત્ર આપણે ત્યાં જ વપરાય છે એનો મતલબ છે 3=સમન્તીત =ચતે રૂતિ ગામ:. એટલે કે ચારે બાજુથી પદાર્થોની જાણકારી જેના દ્વારા થાય તે આગમ ! અત્યારે આપણી પાસે ૪૫ આગમ છે.
આ ૪૫ આગમનું માત્ર સ્મરણ જ્ઞાનાવરણીય અને મોહનીય કર્મનું ઉચ્છેદ કરનારું બને છે. પરિચ્છિદ્યતે ગનેન રૂતિ HIT .
અનંત ઉપકારી તીર્થંકર પરમાત્માએ તીર્થકર નામકર્મના વિપાકોદયથી ધર્મતીર્થની સ્થાપના કરી. ગણધર ભગવંતોએ ગૂંથી. શ્રુતધરોએ ધારણ કરી. સ્થિર કરી. શિષ્યને વિનિયોગ કરતા કરતા આપણા સુધી શ્રુતનો થોડો અંશ પહોચાડ્યો. પ્રભુએ કહ્યું તેનો જ આ અંશ છે. પણ દુષ્કાળમાં દુષ્કાળો પડતા રહ્યા. સૂર્યાસ્ત થાય. અંધારુ થાય. ફરી પાછો થોડો પ્રકાશ થાય. આપણા આગમોમાં પણ આવું જ બન્યું છે. ૧૪ પૂર્વધરના કાળમાં.... પૂ. ભદ્રબાહુસ્વામિજીના કાળમાં પણ દુષ્કાળ પડતો રહ્યો. ઘણા મુનિઓ ગોચરીના અભાવે કાળ કરી ગયા. ઘણા મુનિઓ સ્વાધ્યાય કરી ન શક્યા. પહેલા લખવામાં આવતું ન હતું. મૃતધર સાંભળી ને યાદ રાખતા. શ્રુતં મૃત સાંભળ્યું યાદ રખાતું હતું. આજ સુધી આવી પરંપરા ચાલી છે. અપાત્ર વ્યક્તિના હાથમાં ન જાય માટે તેને લખતાં ન હતા હિંદુસ્તાનમાં ઘણા ગ્રંથો ઋતિથી ચાલ્યા આવ્યા છે.
કેરાલામાં મુખપાઢી બ્રાહ્મણો ગ્રંથો વારંવાર સાંભળી મોંઢે રાખતા. પ્યારેલાલ
નામના એક ભાઇએ ૨૫ મહાભારત જેટલા ગ્રંથો કંઠસ્થ કર્યા હતા તથા સાડા 75. A સાડત્રીસ લાખ જેટલા શ્લોકો તેને મોઢે હતા.
અરિહંતનું આરાધન-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org