SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપધિનું અને પાત્રાનું તથા મુહપતિનું પડિલેહણ કેવી રીતે કરવું ? એની વિધિ જણાવી છે. ચોમાસાના સિવાયના કાળમાં ગુચ્છા અવશ્ય બાંધવા જ જોઇએ. કાપ કેવા પાણીથી કેવી રીતે કાઢવો ? પાતરાને કેવી રીતે રંગવા ? એના રંગ કેવી રીતે મેળવવા ? એની શી વિધિ આદિ જણાવ્યું છે. ગોચરી ગયેશણા અને એમાં લાગતાં દોષોનું વર્ણન છે. આ વિષયમાં શ્રી વજાસ્વામી, ધર્મરુચિ અણગાર, વાનરજૂથ અને માછલીનું ઉદાહરણ આપ્યું છે. આહાર લેવાની અને નહિ લેવાના છ છ કારણો દર્શાવ્યા છે. જોગના સમયમાં કાળગ્રહણ કેવી રીતે લેવા ? આ બહુ મહત્વની પ્રક્રિયા છે. સાથે બહુ જ કઠિન અને અઘરી ક્રિયાઓ છે. એ તો જે કાળગ્રહણ લેવાની વિધિ કરતાં હોય એને ખબર પડે. સાધુએ કેટલી ઉપધિ રાખવી ? કેવી રાખવી ? એની સ્પષ્ટતા કરી છે. નંદિપાત્ર કેવું હોવું જોઇએ ? એનો શો ઉપયોગ એનું નામ નદિ કેમ આદિ જણાવ્યું છે. કયી ઋતુમાં સાધુએ કેટલા પલ્લાં રાખવા ? એ જણાવ્યું છે. ઉપકરણની વ્યાખ્યા બતાવી છે કે જે આત્માને ઉપકાર કરવામાં સહયોગી બને તે ઉપકરણ કહેવાય. પ્રાયશ્ચિત લેવા પર ભાર મૂક્યો છે. બિમાર વૈદ્ય જેમ બીજા વૈદ્યને જણાવી દવા લઇ આરોગ્ય મેળવે તેમ આચાર્ય પણ બીજા યોગ્ય આચાર્યની પાસે પ્રાયશ્ચિત લઇ શુદ્ધ થાય એ જણાવ્યું છે. નૂતન મુનિ સવારે ઉઠે પછી છેક રાત્રે સૂઇ જાય તે દરમ્યાન કેવી રીતની દિનચર્યા આદરે એની વાત પ્રસ્તુત કરી છે. આમ સામાન્યથી સાધુની બધી બાબતોનું વર્ણન આ સૂત્રમાં હોવાથી આનું નામ ઓઘનિર્યુક્તિ' રાખવામાં આવ્યું છે. s er ધર્મકથાનુંધામ-આગમ | -આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy