________________
ઓઘનિર્યુક્તિ સૂત્ર
હેમચન્દ્રસાગરસૂરિજી હવે આપણે મૂલસૂત્રમાં જેનો નંબર છે એવા ઓઘનિયુક્તિ સૂત્રનો પરિચય જોઇએ. શ્રી આવશ્યક સૂત્રમાં છે એવું વર્ણન આમાં છે. ખાસ કરીને સાધુ-સાધ્વીની સમાચારીનું વર્ણન છે. સંયમરૂપી વૃક્ષને ટકાવવા મૂલસ્વરૂપ સમાચારીનું વર્ણન હોવાથી આ મૂલસૂત્ર કહેવાય છે.
સંયમ જીવનના પ્રાણસ્વરૂપ ચરણસિત્તરી અને તેને સહાયક એવી કરણ સિતરીનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે.
ચાર અનુયોગમાં આનું સ્થાન ત્રણેય અનુયોગનું લક્ષ્ય એવા ચરણકરણાનું યોગમાં આવે છે.
કારણ પેદા થતાં સાધુએ નદી કેવી રીતે ઉતરવી એની વિધિ બતાવી છે.
સાધુ લોકહેરીમાં ખેંચાય નહિ પણ પોતાના આચારમાં સ્થિર રહે. એ માટે જયણાનું ખાસ પાલન કરવું જોઇએ.
ગ્લાન (બિમાર) સાધુની સેવા એ માટે વૈદને બોલવવાની વિધિ અને શ્રાવક પાસેથી દવા મેળવવાની વિધિ જણાવી છે.
ચોમાસામાં વિહાર કરવાથી લાગતાં દોષોનું વર્ણન જણાવ્યું છે.
અગીતાર્થ સાધુએ ગીતાર્થની નિશ્રામાં જ રહેવું જોઇએ એ વાત પર ભાર મૂક્યો છે.
મહેમાન સાધુ સાથે કેવી રીતે વર્તવું ? એ જણાવ્યું છે.
વિહારમાં આગળ-પાછળના સાધુનું ધ્યાન રાખવું. એ માટે દાંડાથી રસ્તા પર નિશાન બનાવવું જેથી પાછળના સાધુ ભટકી ન પડે.
સાધુએ ક્યાં રહેવું ? કેવી રીતે રહેવું ? એ બતાવ્યું છે.
કેવલિ-સર્વજ્ઞ પણ પડિલેહણની વિધિ સાચવે. તેઓ જે વસ્ત્રમાં જીવજંતુ હોય એનું જ પડિલેહણ કરે જ્યારે છબસ્થ તમામ વસ્ત્રનું પડિલેહણ કરે જ !
કારણ સિવાય સાધુ દિવસે નિદ્રા લે તો પ્રાયશ્ચિત આવે. પડિલેહણ કરતા બોલે તો છ કાયની વિરાધનાનું પાપ લાગે.
અનુપ્રેક્ષાનો અવસર-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org