________________
- ૯. લિપ્ત દોષ : દહીં દૂધ ખીર વિ. દ્રવ્યોથી વાસણ તથા હાથ લેપાય. ખરડાય તે
લિપ્ત દોષ. ૧૦. છર્દિત દોષ ઃ ઘી ખીર વિ.ના છાંટા પડે તેમ વહોરાવવું... માંડલીના દોષ - ગ્રાસેષણાના દોષ ૧. સંયોજના : રસના લોભથી પુડલા વિ.માં ઘી ખાંડ વિ. નાંખીને વાપરવું, બે
ભેગું કરીને વાપરવું આદિથી આસક્તિ વધે. ૨. પ્રમાણ દોષ : સંયમ મન વચન કાયાના યોગને બાધ ન આવે તેટલો આહાર
કરવો. ઉપરાંત કરે તો પ્રમાણાતિરિકતતા દોષ લાગે. ૨૮ કોળીયા - સ્ત્રીને ૩૨ કોળીયા પુરૂષને હોય.
અતિશય ન વાપરે. ૩. અંગાર દોષ : રાગથી વખાણ કરતો વાપરે, સ્વાદિષ્ટ અન્નને અથવા આહાર
આપનારને વખાણતો થકો ભોજન કરે. વાપરે તે રાગરૂપી અગ્નિથી ચારિત્ર રૂપ ચંદનના કાષ્ટોને બાળીને કોલસારૂપ કરે છે. તે અંગાર દષ. દ્રષ્ટાંત અ..હા..હા.. શું ટેસ્ટી આઇટમ છે ? ખમણ તો પોચા રૂ જેવા છે. આ બેનના ઘરની બધી વસ્તુ વપરાય
તેવી હોય છે...વિ... ૪. ધુમ્ર દોષ : અન્નની કે તેના દેનારની નિંદા કરતો આહાર કરે તે ચારિત્ર રૂપ
ચિત્રશાળાને કાળી કરે છે તેથી તે ધુમ દોષ.. દ્રષ્ટાંત - આ તો આમ જ વહોરાવે.. બહુ ઉદારતા નહિ... અથવા તો આમના ઘરની વસ્તુમાં ઠેકાણા જ ન હોય ઘા તો મીઠું
ન હોય.. યા તો મરચું ન હોય.. વિ.વિ... ૫. કારણ દોષ : સાધુ છ કારણ ઉપસ્થિત થાય તો જ વાપરે..
૧. સુધા વેદનીયનો ઉદય થવાથી ૪. શુભધ્યાન માટે ૨. વૈયાવચ્ચ માટે
૫. પ્રાણને ટકાવવા માટે ૩. સંયમ પાલન માટે
૬. ઇર્ષા સમિતિનું પાલન માટે પિંડની વિશુધ્ધિ.
પિંડની વિશુધ્ધિથી ચારિત્રની શુદ્ધિ.. ચારિત્રની શુધ્ધિથી આત્માનો મોક્ષ...
- સૃષ્ટિનું શુધ્ધદર્શન-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org