SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ અન્ન તેવું મન એવો ન્યાય છે. પરમાત્માએ નિર્દોષ આહાર માટે કેટલી સુંદર પદ્ધતિ દર્શાવી છે ? દશવૈકાલિકમાં એ માટે જણાવે છે अहो जिणेहिं असावज्जा, वित्ति साहूण देसिआ । मुक्खसाहण हेउस्स, साहू देहस्स धारणा ॥ - નવમા પ્રત્યાખ્યાન પ્રવાદ નામના પૂર્વમાંથી શયંભવ સૂરિ - દશવૈકાલિકમાં પાંચમું અધ્યયન છે. તેમાંથી ભદ્રબાહુસૂરિ ૬૭૧ ગાથાની પિંડ નિર્યુક્તિ રચી. પાંચમા આરાના છેડા સુધી સાધુ ધર્મ રહેશે - ત્યાં સુધી આગમ રહેશે. સાધુને ગોચરીની લાયકાત આના અભ્યાસ પછી જ મળે છે. પૂ. મલયગિરિજી મહારાજે સંસ્કૃતમાં ૭૦૦૦ શ્લોક ટીકા પિંડ નિર્યુક્તિ રૂપ, જિનવલ્લભ ગણિએ પિંડવિશુધ્ધિ, ૧૦૩ લઘુટીકા, યશોદેવસૂરિ એ. ૮૦૦ ગાથા પ્રમાણ, શ્રી ચંદસૂરિએ ટીકા ૪૪૦૦ ગાથા પ્રમાણ, ઉદય સિંહ સૂરિએ દીપીકા ૭૦૩ ગાથા પ્રમાણ રચી છે. ૪૨ દોષ વિભાજના આહાર પાણીના ૪૨ દોષ વર્જવા તથા આહાર કરતાં માંડલીના પાંચ દોષ વર્જવા.. પ્રથમ ઉદ્ગમના એટલે આહાર ઉપજવાના સંબંધના ૧૬ ઉદ્ગમ દોષ - ગૃહસ્થના કારણે સાધુના કારણે ૧૬ ઉત્પાદના દોષ ગૃહસ્થ અને સાધુના ૧૦ ગવેષણા દોષ માંડલીના ૫ ગ્રાસેષણા દોષ ૧. આધાકર્મી : ૧૬૪ ૨. ઔદેશિક : પોતા માટે બનાવીને આટલું મહારાજ માટે જુદુ કાઢે. પૂર્વે તૈયાર કરેલ લાડુ વિ. ને ગોળ ધૃતાદિથી સ્વાદિષ્ટ કરે. વળી અભક્ષ્ય ન ખપે માટે પણ જુદુ બનાવે. ગુલાબ જાંબુ કોથમીર મેવો. પંજાબી શાક પનીર બ્રેડથી યુક્ત હોય તે ન ખપે માટે થોડું જુદુ રાખે... ૩. પૂતિકર્મ :- શુધ્ધ આહારમાં આધાકર્મીથી મિશ્રિત કરવું તે. અધ્યાત્મનો પૂર્ણ અધ્યાય-આગમ સાધુ માટે જ બનાવે. સર્વદર્શનીઓ અથવા સર્વલિંગીઓ (મુનિઓ) ને ઉદ્દેશીને કરવું... તે આધાકર્મી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy