________________
અને જ્ઞાન, દર્શન અને ચારિત્ર આદરવા લાયક છે. તેનો ઉપાય સર્વાદિકની સેવા, સ્વાધ્યાય, એષણીય આહાર, આદિનો વિસ્તારથી ઉપદેશ આપ્યો છે. એમાં કામભોગોનું દારૂણ પરિણામ બતાવીને પાંચ ઇન્દ્રીયોના વિષયોનું વિશદ વર્ણન છે.
છેલ્લે સર્વ પ્રમાદ સ્થાનોથી સંયમીઓને દૂર રહેવાનું જણાવ્યું છે. ૩૩) કર્મ પ્રકૃતિ અધ્યયન : ૨૫
આ અધ્યયનમાં ૮ કર્મોનું સ્વરૂપ બતાવી. તે દરેકની ઉત્તર પ્રકૃતિ ભેદસહિત
વર્ણવી છે. અને પછી કર્મના પ્રદેશો ક્ષેત્ર, કાળ, ભાવ વિસ્તારથી વર્ણવ્યા છે. ૩૪) વેશ્યા અધ્યયન : ૬૧
આ અધ્યયનમાં ૬ લેશ્યાઓનાં વર્ણન, રસ, ગંધ, સ્પર્શ, પરિણામ, લક્ષણ, સ્થાન, સ્થિતિ, ગતિ, અને આયુષ્ય બતાવ્યા છે. તેમાં ચારે ગતિના જીવોને
આશ્રયીને વેશ્યાની સ્થિતિ વિસ્તારથી જણાવી છે. ૩૫) અણગારમાર્ગગતિ ઃ ૨૧
આ અધ્યયનમાં સાધુના ગુણો બતાવ્યા છે. તેમાં પાંચ મહાવ્રતોનું પાલન, કેવા સ્થાનમાં રહેવું ક્યાં ન રહેવું, શુધ્ધ ભિક્ષાચર્યાથી જીવન નિર્વાહ કરવું, સંયમ પાલન માટે જ ભોજન કરવું, વંદન સત્કાર સન્માનની ઇચ્છા ન કરવી અને મૃત્યુ
સમયે સંલેખના કરી મમત્વ વિનાનો સાધુ બને. આ બધી વાતો અહીં કહી છે. ૩૬) જીવાજીવ વિભક્તિ અધ્યયન : ર૬૬ દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના માધ્યમથી અજીવતત્વની પ્રરૂપણા કરવામાં આવી છે જીવ તત્ત્વની વિસ્તારથી પ્રરૂપણાં કરી ઉપદેશ આપ્યો છે કે મુનિએ આ સ્વરૂપ જાણી સંયમને વિષે રતિ કરવી, સુંદર ચારિત્ર પાલન પૂર્વક છેવટે સંલેખના કરવી. પછી કંદર્પ, અભિયોગ્ય, કિલ્બિષ, મોહ, અને અસુર આ પાંચ અશુભ ભાવનાનો ત્યાગ કરવાનું કહ્યું છે
VYVVVVVV
માધ્યસ્થનો માર્મ-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org