________________
૨૪) પ્રવચન માતૃ અધ્યયન : ૩૦
આ અધ્યયનમાં ૫ સમિતિ ૩ ગુપ્તિરૂપ અષ્ટ પ્રવચન માતાનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. તેનો ઉપયોગ અને તેનું પાલન કરવાથી મળતું ફળ એ સર્વ હકીકત વિસ્તારથી સમજાવેલ છે.
૨૫) યજ્ઞીય અધ્યયન : ૪૪
આ અધ્યયનમાં જયઘોષ અને વિજયઘોષની કથા દ્વારા બ્રહ્મચર્યના ગુણ બતાવ્યા છે. જયઘોષ, વિજયઘોષ બંને ભાઈ બ્રાહ્મણ હતાં જયઘોષ વૈરાગ્ય પામી મહામુનિ બન્યા. પોતાનો ભાઇ વિજયઘોષ જે યજ્ઞ કરાવે છે તેને પ્રતિબોધ ક૨વા વાણા૨સી આવ્યા. ભાઇને બ્રાહ્મણનું સ્વરૂપ સમજાવે છે. સાધુ, મુનિ, તાપસ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર વગેરે કોને કહેવાય. તેનાં લક્ષણો સ્પષ્ટ સમજાવી પ્રતિબોધ પમાડી દીક્ષા આપી બંને ભાઇ સુંદર આરાધના કરી સિધ્ધિગતિને પામ્યા. આ વાત અહીં બતાવેલ છે.
૨૬) સામાચારી અધ્યયન : ૨૩
આ અધ્યયનમાં સાધુની દશવિધ સમાચારી તેનો અર્થ તથા સ્થાનો બતાવી સમાચારીનું વર્ણન કર્યું છે. રાત્રિ અને દિવસની આઠ પોરસીમાં કઇ પોરસીએ કયુ કામ કરવું તે જણાવીને પડિલેહણના દોષો જણાવ્યા છે. સ્વાધ્યાય કાયોત્સર્ગ પ્રતિક્રમણની વિધિ સવિસ્તર જણાવી છે. સાધુ કયા છ કારણે ભીક્ષા લેવા ન જાય તે બતાવેલ છે. ૧) જ્વરાદિ વ્યાધિમાં ૨) દિવ્યાદિ ઉપસર્ગમાં ૩) બ્રહ્મચર્યની ગુપ્તિને સહન ક૨વા માટે ૪) વર્ષાદિ ઋતુમાં જીવોની રક્ષા માટે ૫) ઉપવાસાદિ તપમાં ૬) આયુષ્યની સમાપ્તિમાં શરીર ત્યાગ માટે અનશન કરતી વખતે.
૨૭) ખલુંકીય અધ્યયન : ૧૭
આ અધ્યયનમાં ગર્ગ નામના આચાર્યની કથામાં ગળીયા બળદનાં દૃષ્ટાંત દ્વારા અવિનીત શિષ્યના લક્ષણ બતાવ્યા છે.
ગળીયા બળદને ગાડીમાં જોડી પરગામ નિકળેલ મુસાફ૨ બળદને મારકૂટ ક૨વા છતાં છેવટે પોતે જ ખેદ પામે છે. તેમ અવિનીત શિષ્યોને વારંવાર શિક્ષા આપવા છતાં તે વિનીત થતા નથી. ઉલટા અસમાધિનું કારણ થાય છે. તેથી અવિનીત શિષ્યોને છોડીને અન્યત્ર જઇ આત્મકાર્ય સાધવું એ જ ઉત્તમ ઉપાય છે. એમ વિચારી ગર્ગમુનિ અવિનીત શિષ્યોનો ત્યાગ કરી અન્યત્ર જઇ સંયમ માર્ગમાં
વિચરવા લાગ્યા.
૧૬૦
Jain Education International
પ્રમોદની પહેલ-આમમ
For Personal & Private Use Only
www.jainelibrary.org