________________
સંભૂતિએ બ્રહ્મદત્ત ચક્રવર્તીના આગલા ભવમાં સુંદર ભોગોનું સંયમના ફળરૂપે નિયાણું કર્યું. તે માટે ચિત્ર મુનિએ વાર્યા છતાં ન વર્યા. તો ચક્રવર્તિ થયાં તોય
સાતમી નરકે ગયા. ૧૪) ઇષકારીય : ૫૩
પૂર્વભવમાં એક જ વિમાન નલિની ગુલ્મમાં સાથે વસનારા ઇસુકાર રાજા રાણી પુરોહિત અને તેની પત્ની તથા બે પુત્રો (પુરોહિતના) મનુષ્યભવમાં ભેગા થયા. વૈરાગી બનેલા બંને પુત્રો જ્યારે સંયમની રજા માગે છે ત્યારે તે પિતા અને પુત્રોનો જે સંવાદ થયો, પતિ પત્નીનો, રાજા રાણીનો જે સંવાદ થયો તે અહીં બતાવેલ છે. આ સંવાદ મોહનીયનો ક્ષયોપશમ કરાવે તેવો છે. છ એ દીક્ષા લઇ સગતિને
પામ્યા. ૧૫) સભિક્ષુ અધ્યયન : ૧૬
આદર્શ સાધુના ગુણો, પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ પૂર્વકનું નિસ્પૃહ જીવનની વિગતો
અહીં બતાવી છે. ૧૬) બ્રહ્મચર્ય ગુપ્તિ અધ્યયન આલાવા ૧૩ ગાથા : ૧૭
બ્રહ્મચર્ય એ સાધુતાનો પ્રાણ છે.
આ અધ્યયનમાં બ્રહ્મચર્યની સમાધિના દશ સ્થાનો બતાવ્યા છે. ૧૭) પાપશ્રમણીય : ૨૧
જે સાધુ પાપસ્થાનકોનું પાલન કરે તે પાપશ્રમણ કહેવાય છે. તે પાપ બાબતની
હકીકત આમાં આવતી હોવાથી આ અધ્યયનનું નામ પાપશ્રમણીય રાખેલ છે. ૧૮) સંયતીય અધ્યયન : ૫૪
શિકારના શોખીન સંજય રાજા - એક વખત મૃગોનો શિકાર કરવા ગયો ત્યાં – કેસર ઉદ્યાનમાં સ્વાધ્યાયલીન સાધુનાં દર્શન - વિનયથી વંદન - શિકારની ક્ષમા - મુનિ મૌન - રાજા ભયભીત ફરી મુનિ પાસે ક્ષમાયાચના – ધ્યાન નિવૃત્ત થઇ કોમળ વચનોથી ધર્મલાભ આપી સંસારના સ્વરૂપને સમજાવ્યું - દેશનાથી વૈરાગી બની રાજાએ ગર્દભાલિ મુનિ પાસે સંયમ ગ્રહણ કર્યું. ગીતાર્થ બની એકાકી વિહાર કરતાં બીજા રાજર્ષિનો ભેટો થયો તાત્ત્વિક ચર્ચા અહીં તે ચર્ચા બતાવી છે.
બીજા રાજાઓ તથા ચક્રવર્તીઓનાં દૃષ્ટાંત છે કે જેમણે વિશાળ રાજ્યોનો ત્યાગ ઉ કરી સંયમ લઇ સદ્ગતિને સાધી.
જીવનું અભેદશાન-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org