SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૯) નેમિપ્રવજ્યા : ૬ર એકત્વભાવનાથી વૈરાગી બનનારા નમિ રાજર્ષિના વૈરાગ્યની પરીક્ષા કરવા માટે બ્રાહ્મણના રૂપે ઇન્દ્ર મહારાજા આવીને જે પ્રશ્નો પૂછયા અને તેના જવાબ આપ્યા તેનું વર્ણન આ અધ્યયનમાં છે. નમિ, કરકુંડુ, દ્વિમુખ, નગતિ આ ચાર પ્રત્યેક બુધ્ધના સંક્ષિપ્તમાં જીવન દર્શન પણ છે. ૧૦) તૂમ પત્રક ઃ ૩૭ શરીરની નશ્વરતા અને આયુષ્યની ક્ષણ ભંગુરતા બતાવીને પરમ કૃપાળુ પરમાત્માએ પરમ વિનયી ગૌતમ સ્વામીના બહાણે “સમયે ગોયમ મા પમાયએ” વાક્ય દ્વારા આરાધક આત્માઓને પ્રમાદ ન કરો તે કહી રહ્યા છે. પીપળાના પાનનું દૃષ્ટાંત બતાવ્યું છે. પ્રારંભમાં વૃક્ષના પાંદડા દ્વારા ઉપદેશ આપેલ છે. તેથી દ્રુમપત્ર અધ્યયન નામ આપ્યું છે. ૧૧) બહુશ્રુત પૂજા : ૩૨ ઉપદેશ વિવેકીને આપી શકાય છે. અને વિવેક બહુશ્રુતની સેવાથી પ્રાપ્ત થાય છે. અહીં વિનય અવિનય કેવી રીતે મળે તેના કારણ બતાવ્યા છે. બહુશ્રુતના ૮ લક્ષણો અને અબહુશ્રુતના ૧૪ લક્ષણ તથા બહુશ્રુતની ૧૫ ઉપમાઓ બતાવેલ છે. ૮ લક્ષણ : ૧) નિરંતર ન હસે ર) દાંત ન કાઢે ૩) કોઇની ગુપ્ત વાતને ન કહે ૪) શીલવાન પ) શીલમાં અતિચાર ન લગાડે. ૬) રસલંપટ ન હોય ૭) અતિક્રોધી ન હોય ૮) સત્યવ્રતી હોય. ૧૨) તપસમૃદ્ધિ (હરીકેશીય) ઃ ૪૭ હરિકેશી મુનિ રાજીઓ, ઉપન્યો કુલ ચંડાલ, પણ નિત્ય સુરસેવા કરે, ચારિત્ર ગુણ અસરાલ અહીં હરિકેશી મુનિના ચારિત્રનું વર્ણન કરેલ છે. જાતિમદથી હરિકેશી ચાંડાલ થયાં છતાં દીક્ષા લઇને તપની સમૃદ્ધિથી સાધી ગયાં. હલકી જાતિનાં કારણે બ્રાહ્મણોએ ખૂબ હેરાન કરવા છતાં સમભાવ રાખીને બધાને ધર્મ પમાડ્યો. ૧૩) ચિત્રસંભૂતીય : ૩૫ જડથી ભેદ જ્ઞાન-આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy