________________
દશવૈકાલિકની રચના થઇ તે પછી શિષ્યોને અનુક્રમે આવશ્યક સૂત્ર, દશવૈકાલિક સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર અને આચારાંગસૂત્ર ભણાવાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના યોગોદ્વહન કરીને વિનયાદિ ગુણોને ધારણ કરનાર શિષ્યો વિધિપૂર્વક ભણવાથી નિશે ભવ્ય કહેવાય છે. એમ નિર્યુક્તિકારાદિ મહાપુરુષો કહે છે.
આ સૂત્ર ચતુર્વિધ સંઘને બહુ જ ઉપકાર કરનાર છે. તેનાં ૩૬ અધ્યયનોમાં જણાવેલી વિવિધ બાબતો ભવ્ય જીવોને નિજ ગુણ રમણતાના માર્ગે પ્રયાણ કરાવે છે. પુદ્ગલ રમણતા ઘટાડે છે.
આત્માના ખરા શત્રુઓને ઓળખાવી તેમનાથી સાવધાન બનાવે છે.
હિતશિક્ષાઓ આપે છે. દુર્ગતિના ભયંકર દુ:ખોને દેનારા દોષોનો ત્યાગ કરો. અને પરમ આદર્શ જીવનરૂપ સાધુ ધર્મને પરમ ઉલ્લાસથી આરાધીને ભવ સમુદ્રને પાર પામો.
હવે ૩૬ અધ્યયનમાં આવતી બાબતોનો ટુંક પરિચય આપું છું. ૧) વિનય અધ્યયન ગાથા : ૪૮
संजोगाविप्पमुक्कस्स अणगारस्स भिख्खुणो । विणयं पाउकरिस्सामि, अणुपुट्विं सुणेह मे ।।
વિનય - ધર્મનું મૂળ ૪૮ ગાથામાં વિનીત અવિનીતનું સ્વરૂપ બતાવ્યું છે ગુણ દોષ ને જણાવવા અશ્વનું દૃષ્ટાંત તથા કુલવાલ્ક મુનિનું દ્રષ્ટાંત જમાવ્યું છે.
વિષય કષાયથી મુક્ત જ વિનય કરી શકે. ચંદરુદ્રાચાર્યના શિષ્યનું દૃષ્ટાંત દર્શાવ્યું છે. વંદન એ વિનયનું પાલન કરવામાં થયેલ ભૂલનું પ્રતિક્રમણ કરવું જોઇએ. ૨) પરિષહ અધ્યયન ગાથા : ૪૬
આ અધ્યયનમાં પરિસહીનું સ્વરૂપ જણાવેલ છે. જ્ઞાન મેળવવા વિનય જરૂરી તેમ ચારિત્ર પાળવામાં પરિષદોને સમતાપૂર્વક સહન કરવા જરૂરી છે.
સાધક આત્માએ કેવી રીતે સહિષ્ણુ બનવું જોઇએ તે રર પરિણહોના દૃષ્ટાંત સહિત વિવરણ કરીને જણાવ્યું છે.
સહન કરે તે સાધુ સહનશીલતાથી સાધુ સાધુતાને પ્રગટ કરી શકે તેનો પ્રકાશ આ અધ્યયનમાં કરેલ છે.
૩) ચતુરંગીય અધ્યયન : ૨૦
કોwsી ડી ડીક ચિંતાનો વિનામણી-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org