SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તરાધ્યયન સૂત્ર”” પૂ.પં. શ્રી વજસેનવિજયજી મ. વિષમકાળે જિનબિંબ જિન આગમ ભવિયણકુ આધારા' આ અવસર્પિણી કાળમાં ત્રીજી આરાના અંતે તીર્થંકર પરમાત્માઓ ઉત્પન્ન થઇને શાસનની સ્થાપના કરે છે અને ભગવાન અર્થથી જે દેશના આપે છે તેને ગણધરો સૂત્રમાં ગૂંથે છે. તે આગમ તરીકે પ્રસિદ્ધ થાય છે... આ આગમ ગ્રંથોમાં પ્રથમ ગ્રંથ ઉત્તરાધ્યયન છે. પ્રભુ મહાવીરદેવે અંતિમ સમયે કોઇએ પણ નહિ પૂછેલા પ્રશ્નોનાં જે ઉત્તરો આવ્યા. તે ઉત્તરોના સંગ્રહરૂપ આ ઉત્તરાધ્યયન સૂત્ર છે. એમ આ સૂત્રની કેટલીક ટીકા વિગેરેમાં કહ્યું છે. આ સૂત્રનાં મૂળ શ્લોક ૨૦૦૦ છે અને ૩૬ અધ્યયન છે. ભદ્રબાહુસ્વામીજીની નિર્યુક્તિ છે તથા વાદિવેતાલ શ્રી શાંતિસૂરીજી મહારાજે મોટી ટીકા લખી છે. અત્યારે પણ આ સૂત્ર ઉપર પૂ. નેમિચંદ્રસૂરિ, પૂ. શાંતિચંદ્રસૂરી, પૂ. ભાવ વિ.મ., પૂ. લક્ષ્મીવલ્લભ ગણિ ની ટીકા મળી આવે છે. કુલ ૧૧૬૭૦૮ શ્લોક પ્રમાણ સાહિત્ય આ આગમ ઉપર ઉપલબ્ધ છે. ભદ્રબાહસ્વામીએ નિયુક્તિની ચોથી ગાથામાં કહ્યું છે કે આ સૂત્રના ૩૬ અધ્યયનોમાંના કેટલાક અધ્યયનોની ઉત્પતિ થઇ છે. કેટલાક અધ્યયનો જિનભાષિત છે. કેટલાંક અધ્યયનો પ્રત્યેક બુધાદિના સંવાદાદિરૂપ છે. આ સૂત્રમાં ૧૬૪૩ શ્લોકો સિવાયનો થોડો ભાગ ગદ્ય પણ છે. શ્રી દશવૈકાલિક સૂત્રની રચના થયા પહેલાંના સમયમાં શિષ્યોને આચારાંગ સૂત્ર ભણાવ્યા પછી આ સૂત્ર ભણાવાતું. આ રીતે આચારાંગ પછી ભણાવવા લાયક જે અધ્યયનો તે ઉત્તરાધ્યયન કહેવાય. આ વાત વ્યવહાર ભાષ્યાદિમાં કહ્યું છે. - બ્રહ્મચર્યની રીત-આગમ હું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy