SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવવિનય - પાંચ પ્રકારે છે. ૧) લોકોપચાર વિનય - ઔચિત્ય કરવું, હાથ જોડવા, આસન આપવું, અતિથિઓને સત્કારવા તે... ૨) અર્થ વિનય - ધન મેળવવા રાજા શેઠને નમવું તે.. ૩) કામ વિનય - કામી વાસનાને વશ થઇ નમવું તે. ૪) ભય વિનય - ભયથી વ્યક્તિનો વિનય કરવો તે. ૫) મોક્ષ વિનય - મોક્ષ માટે વિનય કરવો તે મોક્ષ વિનય જ ઉપાદેય છે. આ મોક્ષ વિનયના પાંચ પ્રકારો છે - દર્શન વિનય - પ્રભુ ભાષિતને સાચું માનવું તે. જ્ઞાન વિનય - આત્માને ઉપકારક જ્ઞાન ભણવું તે. ચારિત્ર વિનય - ક્રિયારૂપ ચારિત્રમાં પ્રયત્ન કરવો તે. તપો વિનય - તપને આચરવામાં દઢ નિશ્ચયી થાવું તે. ઉપચાર વિનય - ત્રણે યોગને ઉચિત માર્ગે જોડવા તે. ગુરુ વગેરેનો વિનય કરવો.. વિનયથી સમાધિ. વિનય વાત્સલ્ય તરફ લઈ જાય છે. વિવેક વૈરાગ્ય તરફ લઇ જાય છે. જેના કષાયો પ્રદિપ્ત થાય તે વિનય ગુમાવે. જેના વિષયો પ્રદિપ્ત થાય તે વિવેક ગુમાવે. જમાલિ વિનયથી ગયા. અષાઢભૂતિ વિવેકથી ગયા. સભિક્ષુ અધ્યયન - ૧૦ આ અધ્યયનનું ધ્રુવપદ છે.. જે સભિખુ આવો તે મારો સાધુ છે.. બસ આવો.. આવો. તેમાં સાધુ જીવનની વિશેષતાઓ જણાવી છે. જે સમિતિ ગુપ્તિમાં રત રહે તે મારો સાધુ, જે પાંચ મહાવ્રતમાં લીન રહે તે મારો સાધુ, દમનો દરવાન-આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy