________________
શુધ્ધિ કઈ રીતે જાળવવી તેની વાત વચનના પ્રકાર વગેરે બતાવી વિસ્તારથી આ અધ્યયનમાં જણાવી છે...
લૌકિકમાં જેમ બે વર્ષના બાબાને બોલતા શીખવવું પડે તેમ લોકોત્તર શાસનમાં ૭૦ વર્ષના બુઝર્ગનેય બોલતા શીવું પડે..
જે સ્વપર હિત સાધી આપે તે સત્ય, જે સ્વપર અહિત સાધી આપે તે અસત્ય આ છે સત્ય-અસત્યની એકદમ ટૂંકી ને મીઠી વ્યાખ્યા.
જેનાથી મૈત્રીભાવ પ્રગટે, ગુણાનુરાગિતા પ્રગટે, કરુણા પ્રગટે, દેવ ગુરુ ધર્મ પ્રત્યે બહુમાન પ્રગટે, પોતાના દોષો પ્રત્યે જુગુપ્સા પ્રગટે તે નિશ્ચયથી સત્યભાષા છે.
સ્વરૂપે સત્ય છતાં દુર્ભાવથી બોલાય કે સાંભળનારને કર્મબંધના કારણભૂત રાગ દ્વેષાદિ વધે, પૂજ્યો પ્રત્યે અનાદર થાય, વિષય કષાય પુષ્ટ થાય તે અસત્યભાષા છે.
બીજા ઘણા જાણવા/આચરવા યોગ્ય પદાર્થો આ અધ્યયનમાં છે. આચાર પ્રણિધિ - ૮
આચારમાં એકાગ્રતા, આચારમાં સમાધિ. આચારમાં ઇન્દ્રિયો અને મનનું સ્થાપન આચારમાં દઢ અધ્યવસાય આ છે આચાર પ્રસિધિ..
આચાર વિષયક ઘણી વાતો છે આમાં..
ગોચરી કે પાણી માટે ગયેલ મુનિ ભગવંત કઇ રીતે ઉભા રહે... કઈ રીતે બોલે, કઇ રીતે જીવે તેનું માર્મિક વર્ણન છે.
જયણાપૂર્વક રહે, જરુરત પૂરતું બોલે, જરુરથી વધુ આંખ ઉંચી ન કરે. નિદં ચ ન બહુ મજિજા.. નિદ્રાનું બહુમાન ન કરે. ન આવે તો અકળાય નહીં
વધુ આવે તો મલકાય નહીં આજ તો બહુ સરસ ઉંધ આવી ગઇ આવું વાક્ય સાધુ ન બોલે. વિનય સમાધિ અધ્યયન - ૯
સાધુ જીવનનો સાચો શણગાર વિનય છે.. વિનય ધર્મનું મૂળ છે.. દ્રવ્યવિનય ડીઝ - નેતર, સુવર્ણ જેવી વસ્તુઓ કે જે નમે છે.
દયાનો દરવાજો-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org