________________
છ વ્રતની વિરાધનામાં છ સ્થાન..
૧) હિંસાસ્થાન
અશાતા,
૨) મૃષાવાદ સ્થાન - મૃષાથી જ્ઞાનાવરણીય વગેરે ઘાતિકર્મોનો બંધ થાય છે. અશુભ, નીચ ગોત્ર, એકેન્દ્રિય, જેવા કર્મબંધ થાય છે તથા પંચેન્દ્રિયમાં જાય તોય જીભના રોગો થાય, અનાદેય, અપયશ, દુઃસ્વર, દુર્ભાગ્ય કર્મનો બંધ થાય છે. મૃષા બોલવાથી ભવાંતરમાં જિનવચનનો વિશ્વાસ દ્રવ્યથી પણ થતો નથી.
૩) અદત્તાદાન સ્થાન - જેનાથી દરિદ્રતા, દુર્ભાગ્ય આદિ આવે છે. આ જન્મમાં પણ સતત માણસને ભય રહે છે. કોઇનું લીધું છે ને કોઇક આવશે તો.. ૪) અબ્રહ્મ સ્થાન – વિનય, વૈયાવચ્ચ, ગુરુકુલવાસ આદિ બ્રહ્મચર્યનાં સ્થાન છે જ્યારે તેનાથી અવિનીતતા, સ્વચ્છંદતા ઇત્યાદિ અબ્રહ્મના સ્થાન છે.
૫) પરિગ્રહ સ્થાન – સંનિધિ વગેરે રાખવી, વસ્ત્ર પાત્ર ૫ર મૂર્છા રાખવી. તે ન થાય તો અપરિગ્રહ વ્રત સાચું બને. વસ્ત્રાદિ, સંયમ અને મર્યાદાના ધારણ માટે છે... વ્રતોના પાલન માટે મુખ્ય બે ગુણો જોઇએ
૧) સત્ત્વ
૨) સંયમનો રાગ.. આ બે જેનામાં છે તેનામાં વ્રતો વગેરેની પાલના અદ્ભૂત રહે છે ટકે છે ને દિવસે દિવસે ઉત્સાહ વધતો જાય છે.
નિદ્રાનો પક્ષપાત ૭૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિનો બંધ કરાવે છે તેમ આચારાંગમાં કહ્યું છે. મને કોઇએ ઉઠાડવો નહીં આવો નિદ્રાનો પક્ષપાત ક્યારેક દેવ ગુરુ ધર્મ પર પણ દ્વેષ પેદા કરાવી શકે છે... માટે નિદ્રાનું બહુમાન સાધુ ન કરે..
गिहि संथवं नकुज्जा, कुज्जा साहुहिं संथवं.
ગૃહસ્થનો સંસર્ગ ન કરવો. સાધુથી સંસર્ગ ક૨વો.. આવી આચાર વિષયક ઘણી વાતો આ અધ્યયનમાં છે.... અને છેલ્લે મહત્ત્વનું સૂચન છે..
जाइ सद्धाओ निकखतो, परियायठाणमुत्तमं
तमेव अणुपाल्लिजन्न, गुणे आयरिय सम्मओ ...६१
જે શ્રધ્ધાથી હે મુનિ ! તું નીકળ્યો છે.. તે જ શ્રધ્ધાને અખંડિત રાખજે, વૃદ્ધિંગત
કરજો...
વાક્યશુધ્ધિ અધ્યયન ૭
-
૧૫૦
'
Jain Education International
મૌન એ મુનિનું લક્ષણ છે. છતાં પ્રસંગે બોલવું પડે તો વચનની
અક્ષરની આરાધના-આગમ
For Personal & Private Use Only
www.jainelibrary.org