________________
અનાચારથી દૂર રહે.. આ અધ્યયનમાં આ વાતો ગૂંથાઇ છે.. ષડુ જીવનિકાય અધ્યયન - ૪
છકાય...પુઢવી અપ, તેલ, વાઉ, વનસ્પતિ, અને ત્રસ..
આ છએમાં જીવત્વની સિદ્ધિ આ અધ્યયનમાં છે અને તેના ભેદ પ્રભેદોની વાતો પણ છે..
જૈન દર્શન અહીં ઘણા દર્શનથી જુદું પડે છે.
છ કાયના જીવોની રક્ષાનો દઢ સંકલ્પ સાધુ જીવનનો પ્રાણ છે. અને એટલે સંયમીય જીવનની વ્યાખ્યા કરતાં સુંદર વાત જણાવી છે અહીં, કિં નામ સાધુત્વે ? શિષ્યના | જિજ્ઞાસુના આ પ્રશ્નના ઉત્તરમાં ગુરુનો જવાબ છે.
SSનીવનિવાયર્નેટ પર મત્વે સાધુત્વમ્ સાધુત્વ એ શું છે ?
છ કાયના જીવો પરનો સ્નેહ પરિણામ એ સાધુત્વ છે. જીવપ્રેમનો મધુર પરિણામ એ સાધુત્વ છે... સામાયિક મધુર પરિણામ સ્વરૂપ છે. દીક્ષાજીવન એટલે પ્રેમનો સંકોચ નથી પરંતુ પ્રેમના વર્તુળનો વિસ્તાર છે. જે પ્રેમ મારા તારામાં બધ્ધ થઇને અશુધ્ધ થયો હતો તેને વિશાળતા સમર્પ બધા જીવો મારા... બધા જીવો સાથેનો મૈત્રીભાવ સ્થાપિત કર્યો છે તે સાધુ છે.. ગુણવિરાધિકા હિંસા
જ્યારે જીવો સાથે મૈત્રીભાવ થઇ જાય પછી તે જીવને કોઇપણ પ્રકારે પીડા થાય તે કેમ ગમે ? કોમળતા એટલી હદે સ્પર્શી જાય કે જીવ વિરાધના જોઇ જ ન શકે.
હિંસા ને પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં ગુણ વિરાધિકા કહી છે કેટલી સુંદર સમજ એક જ શબ્દ દ્વારા ગ્રંથકારશ્રી અહીં આપી રહ્યા છે..
ગુણ વિરાધિકા = ગુણની વિરાધના કરવાની આ હિંસા છે. કોમળતા ગુણની વિરાધના દર્શન, જ્ઞાન, ચરિત્ર ગુણની વિરાધના કરવાની હિંસા છે. એટલે અર્થ તો એ નીકળ્યો કોઇની પણ હિંસા દ્વારા આપણી પોતાની હિંસા થાય છે. માટે જ અહીં સર્વજીવોના દ્રવ્યપ્રાણો તથા ભાવપ્રાણોની રક્ષા કરવાની સુંદર ભલામણ કરી છે.
દ્રવ્ય હિંસા કારક બાહ્ય શસ્ત્રો છે ઘણા બધા....પણ ભાવથી છકાય જીવોની હિંસા તત્વ છે તે તે જીવો પ્રત્યેનો દુષ્ટભાવ તથા અસંયમ... પ્રમાદ..
આ અધ્યયનમાં છ કાયની રક્ષા સાથે પાંચ મહાવ્રતની પ્રતિજ્ઞા તથા છઠ્ઠા
વિચારનું વિશ્વ-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org