________________
રથનેમિને રાજીમતી આજ ઇચ્છાના નિવારણની વાત સમજાવે છે. રાજીમતી અને રથનેમિ વચ્ચેનો રોચક સંવાદ છે. વૈરાગ્યપ્રેરક છે... પદાર્થોનો ત્યાગ એ વ્યવહાર માર્ગ છે. તો ઇચ્છાઓનો ત્યાગ એ નિશ્ચય માર્ગ છે.. પદાર્થના ત્યાગથી પણ ઇચ્છાના ત્યાગ સુધી જ પહોંચવાનું છે. આ બધા પદાર્થો આ અધ્યયનમાં સરસ રીતે સમજાવી ઇચ્છા એજ દુઃખનું મૂળ છે.. અનંત ઇચ્છાઓને ખોળે બેસીને આપણે અનંત સંસાર ઉભો કર્યો છે. હવે ઇચ્છાના સંક્ષિપ્તિકરણમાં સંસારનું સંક્ષિપ્તીકરણ છે અને ઇચ્છાના વિલીની કરણમાં સંસારનું વિલીનીકરણ છે.
આ અધ્યયનનો સાર છે ઇચ્છાને છેદો. ક્ષુલ્લકાચાર કથા - ૩.
આચાર પ્રથમ ધર્મ છે. આચાર પર જિનશાસન ઉભું છે.
પહેલાના જમાનામાં ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, માંડલિક, રાજા, મહારાજા, ધનાઢય કે મંત્રી મળે તો પહેલા પૂછતાં કે –
'कहं भे आयारो गोयंरो' તમારો આચાર શું છે ? પહેલા સમાજ આચાર પ્રધાન હતો આજે અર્થપ્રધાન છે મોટે ભાગે.. જે અનુષ્ઠાન મોક્ષે લઇ જાય તે આચાર, જે અહિંસાદિ વ્યવહાર માર્ગને પુષ્ટ કરે તે આચાર, જ્ઞાનાચારાદિ પાંચને જે અનુકૂળ તે આચાર.
ક્ષુલ્લકાચાર કથા નામના આ અધ્યયનમાં પર (બાવન) અનાચારો બતાવવામાં આવ્યા છે. જે અનાચારો સંયમમાર્ગથી દૂર લઈ જાય છે. તેનાથી દૂર રહી સાધુ આચારમાં સ્થિર થવા પર ભાર મૂક્યો છે આ અધ્યયનમાં -
સદાચારમાં સ્થિત એવા સાધુના સુંદર વિશેષણો પહેલી જ ગાથામાં છે.
સંયને સુઃિ ૩પ્પા : જે સંયમમાં સુસ્થિત છે. વિપ્નમુક્કાણ - વિપ્રમુક્ત જે હોય. પદાર્થથી દૂર, વ્યક્તિથી દૂર, શરીરથી દૂર, અહંથી દૂર એવો સાધુ, તાણ - સ્વપરનો તારક હોય
નિગ્રંથાણું - જે ઉપકરણોમાં પણ મૂચ્છ રહિત હોય તેવો સાધુ આ
છે વિશ્વનો વિચાર-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org