________________
પોષણ ધારણ સંરક્ષણ સંવર્ધન સંશોધન ઇત્યાદિ માટે આલંબનભૂત આ સૂત્ર છે... સંયમમાર્ગની સ્કૂલથી સૂક્ષ્મ વાતો આ સૂત્રમાં છે.
આ સૂત્રના યોગોદ્ધહન નૂતન દીક્ષિતોને પહેલા કરાવવામાં આવે છે. સંયમ જીવનનું ઘડતર આનાથી થાય છે.
પહેલું અધ્યયન - વૂમ પુમ્બિકા -
આ અધ્યયનમાં ધર્મનો મહિમા, ધર્મનું સ્વરૂપ, ધર્મનું ફળ, ઇત્યાદિ સંક્ષિપ્તમાં જણાવેલ છે. પાછળના શ્લોકોમાં સાધુ જીવનની માધુરી વૃત્તિ અંગે પ્રકાશ પાથર્યો છે. જેમ ભ્રમર પુષ્પો પરથી રસ ચૂસે પણ પુષ્યને પીડા ન થાય, તેવી રીતે સાધુ ગોચરી માટે જાય. ઘરેઘરેથી થોડી થોડી ગોચરી લે જેથી કોઇને કિલામણા ન થાય..
આ અધ્યયનમાં સાધક જીવનના બે સુંદર વિશેષણ છે. સમણા, મુત્તા
શ્રમણ - સહનશીલ તો એ શ્રમણ એ અપેક્ષાએ અહીં સહનશીલતાના ગુણની પહેલા આવશ્યકતા બતાવી છે. સાધકના જીવનમાં જો સહનશીલતા ન હોય તો સાધનામાં ટકી ન શકાય.. ગમે તેવી પરિસ્થિતિ આવે સાધક તેને હસતા, હસતા સહે ને બીજું વિશેષણ છે મુત્તા મુક્ત હોય અનાસક્ત હોય, અપ્રતિબધ્ધ હોય...”
પ્રતિબધ્ધતા સહનશીલતાની બેલેન્સને ગુમાવી દે છે. પ્રતિબધ્ધતામાં આવતા વ્યાકુલતા આવી જાય છે. માટે સહનશીલતાને ઉભારતું આ વિશેષણ છે મુક્તિત્વ અનાસક્તત્વ.. શ્રામણ્યપૂર્વિક અધ્યયન - ર - પૂજ્યપાદ શ્રી શય્યભવસૂરિજી મહારાજા આ બીજા અધ્યયનમાં કેટલો મસ્ત ઉપાડ કરે છે.
૬૬ ૩Mા સામi...
તારે શ્રમણ્ય પાળવું છે ? કઇ રીતે શ્રમણ્યને તું પામીશ? ને પછી એવી લાકડી મારી છે..
'નો વા ન નિવારમે’ - જો તું ઇચ્છાઓને વારતો નથી તો ? ઇચ્છા એજ સંસાર
આજ્ઞા એજ મોક્ષ..
સ્વભાવનો આર્વિભાવ-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org