SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ | ૮૦ વર્ષે આ સૂત્રની રચના થઇ છે. પ્રભુવીરની ચોથી પાટે આવેલા પૂજ્યપાદ ચતુર્દશ પૂર્વધર શ્રી શય્યભવસૂરિજી મહારાજાએ જ્યારે પ્રવજ્યા ગ્રહણ કરી ત્યારે તેઓશ્રીની ધર્મપત્ની ગર્ભવતી હતી.. તેણીએ એક પુત્રનો જન્મ આપ્યો. જેનું નામ મનક આપવામાં આવ્યું. વૈરાગ્યવાસિત મનકે નાની ઉંમરમાં પૂ. શäભવસૂરિજી મ. (પિતાજી મ.) પાસે દીક્ષા અંગીકાર કરી. પૂજ્યશ્રીએ મનકમુનિના માત્ર છમાસના આયુષ્યને પોતાના જ્ઞાનથી જાણી લીધું. અલ્પ સમાજમાં આ મુનિ કઇ રીતે મૃત સાગરનો પાર પામશે ? ને જ્ઞાન વિના તેનાં મુનિ જીવનનો આનંદ તે કઇ રીતે માણશે ? આથી ઉપકાર બુધ્ધિને તેઓશ્રીએ ચૌદપૂર્વમાંથી સારભૂત અવતરણ કરી આ દશવૈકાલિક સૂત્રની રચના કરી. ૧-૨-૩ અધ્યયન પ્રત્યાખ્યાન પૂર્વમાંથી ૪થું આત્મપ્રવાદ પૂર્વમાંથી પણું કર્મ પ્રવાદ પૂર્વમાંથી ૬થું પ્રત્યાખ્યાન પૂર્વમાંથી ૭મું સત્યપ્રવાદ પૂર્વમાંથી ૮-૯-૧૦ પ્રત્યાખ્યાન પૂર્વમાંથી ઉદ્ધત કરેલ છે. પાછળની બે ચૂલિકા - શ્રી યક્ષા સાધ્વીજી મ. (પૂ. સ્થૂલિભદ્રજીની બહેન) જે પરમકૃપાળુ શ્રી સીમંધર ભગવાન પાસે શ્રીયકના મૃત્યુ સંબંધમાં પૂછવા ગયેલ હતા તેઓ પ્રભુજી પાસેથી જે લાવ્યા તેમાંથી આ દશવૈકાલિકની ૨ ચૂલિકા તરીકે પ્રસ્થાપિત કરીને બે ચૂલિકા આચારાંગમાં પ્રસ્થાપિત કરી. આ રીતે દશવૈકાલિક દશ અધ્યયન અને બે ચૂલિકાથી યુક્ત હોવાથી તથા વિકાળવેળાએ બનાવેલ હોવાથી તેનું નામ દશવૈકાલિક સૂત્ર રખાયું છે. દિગંબર પરંપરામાં દશવૈકાલિક સૂત્રનો ઉલ્લેખ ધવલા, જયધવલા, તત્વાર્થ રાજવાર્તિક વગેરેમાં છે. ત્યાં તેના કર્તા અલગ બતાવ્યા છે. પણ દશવૈકાલિક નામનું સૂત્ર તો બતાવેલ છે... માનું ધાવણ દશવૈકાલિક સૂત્ર સંયમીય જીવન માટે માનું ધાવણ છે.. સંયમીય જીવનનું વિભાવનો પરાભવ-આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy