________________
આયરિય ઉવન્ઝાય” પછી છઠ્ઠા આવશ્યકથી મૃહપત્તિની પહેલા સુધી આ આવશ્યકની આરાધના છે. કાયોત્સર્ગનું ફળ ૧) દેહ જીભશુધ્ધિ - શ્લેષ્માદિથી થતી જડતાનો નાશ, ૨) મતિજાડયશુદ્ધિ - બુધ્ધિની જડતાનો નાશ, ૩) સુખ દુઃખ તિતિક્ષા - સુખ દુઃખને સમભાવથી સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય
છે
૪) અનુપ્રેક્ષા - અનિત્યાદિ ભાવનાઓનો અભ્યાસ વૃધ્ધિ પામે છે. ૫) ધ્યાન - ધ્યાનનો અભ્યાસ સહજ બની જાય છે. પૂજ્યપાદ ચૌદપૂર્વધર શ્રી
ભદ્રબાહુવામિ મહારાજાએ આવશ્યક નિર્યુક્તિમાં આ પ્રમાણે કહ્યું છે. પચ્ચખ્ખાણ
ચાર આહારના ત્યાગનું મર્યાદાપૂર્વક કથન કરવું તે.. પાપથી વિરમવું અટકવું એ પચ્ચખાણ છે પચ્ચકખાણ વિરતિ છે. સમ્યકત્વ અને શ્રાવક વ્રતના પ્રતિજ્ઞાના પાઠો,
અંતિમ મરણ સંબંધી સંલેખના અને એના અતિચાર, વિવિધ પ્રત્યાખ્યાનના પાઠ, નવકારથી ઉપવાસ સુધીના પચ્ચકખાણની ચર્ચા, આગારોની ચર્ચા.
ભવચરિત્ર, અભિગ્રહ, વિગઇ પચ્ચખાણ આ બધાનું વિસ્તારથી વર્ણન છે તથા પચ્ચકખાણની શુધ્ધિની વાત પણ જાણવી છે. ૧) શ્રધ્ધાશુધ્ધિ ૨) જ્ઞાનશુધ્ધિ ૩) વિનયશુધ્ધિ ૪) અનુભાષણશુધ્ધિ પ) અનુપાલન શુધ્ધિ ૬) ભાવશુધ્ધિ. આ રીતે આવશ્યક સૂત્ર જોયું હવે દશવૈકાલિ સૂત્ર તરફ આગળ વધીએ.
શ્રી દશવૈકાલિક સૂત્ર (મૂલસૂત્ર)
મૂળ શ્લોક ૮૩૫ નિયુક્તિ, ચૂર્તીિ ભાષ, વૃત્તિ આદિ ૩૨૧૪૮ શ્લોક પ્રમાણ સાહિત્ય.
પરમકૃપાળુ પરમાત્મા ભગવાન મહાવીર સ્વામિના નિર્વાણગમન પછી
સર્વને માન-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org