________________
- આત્માને પ્રતિકૂળ જેટલું ચાલ્યા તેટલું પાછું ફરવું તે પ્રતિક્રમણ - સ્વસ્થાનથી પરસ્થાનમાં પ્રમાદને વશ ગયા તેનાથી પાછા ફરવું તે પ્રતિક્રમણ - ક્ષાયોપથમિક ભાવમાંથી ઔદયિકભાવમાં ગયા તેમાંથી પાછા ફરવું તે પ્રતિક્રમણ
-શુભયોગોમાંથી અશુભયોગોમાં ગયા તેનાથી પાછા ફરવું તે પ્રતિક્રમણ. ૪ પ્રતિક્રમણ :
- મિથ્યાત્વથી પાછા ફરવા રૂપ પ્રતિક્રમણ. - અસંયમથી પાછા ફરવા રૂપ પ્રતિક્રમણ. - કષાયથી પાછા ફરવારૂપ પ્રતિક્રમણ.
- અપ્રશસ્ત યોગથી પાછા ફરવાનું ફળ પ્રતિક્રમણ. બીજા ૭ પ્રકારના પ્રતિક્રમણ
૧) દેવસિક ૨) રાત્રિક ૩) પાક્ષિક ૪) ચાતુર્માસિક ૫) સાંવત્સરિક ૬) ઇત્વર પ્રતિક્રમણ ૭) યાવસ્કથિક પ્રતિક્રમણ.
ઇતર પ્રતિક્રમણ - પારિષ્ઠાપનિકા સમયે કરાય છે. યાવત્રુથિક પ્રતિક્રમણ - વ્રતાદિમાં લાગેલા અતિચારોની શુદ્ધિ માટે કરાતી આલોચના તે. પ્રતિક્રમણ કરવાનાં ચાર કારણો :
पडिसिध्धाणं करणे, किच्चाण मकरणेय पडिक्कमणं, असद्दहणेय य તણી, વિવરીય પર્વUITગેય... ૧) પ્રતિષેધ કૃત્યો કરવા, ૨) વિહિત કૃત્યોને ન કરવા, ૩) કેવલિ પ્રરૂપિતમાં અશ્રધ્ધા કરવી, ૪) પદાર્થને વિપરીત કહેવા... આ ચાર કારણોના સેવને પ્રતિક્રમણ કરાય છે.
વાંદણા પછી દેવસિએ આલોઉથી આની શરૂઆત થાય છે. ને આયરિય ઉવજ્જાએ સુધી તે ચાલે છે.
પ્રતિક્રમણ આવશ્યકની ટીકાનાં પૂજ્યપાદ હરિભદ્રસૂરિ મહારાજે ધ્યાનશતક નામનો ગ્રંથ તથા પારિષ્ઠાપનિકા ચૂર્ણિ ઇત્યાદિ ઉતારી દીધા છે...
આગે બઢો દુનિયાનું સૂત્ર છે.
આનંદનું અનુષ્ઠાન-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org