________________
બધ્યમાન કર્મ એ રજ અને પૂર્વબદ્ધ કર્મ એ મલ, ઇર્યાપથ રજ અને નિકાચિત મલ.
ઇર્યાપથ - રજ અને સાંપરાયિક મલ. ‘તીન્જયરા મે પસીયંતુ
પ્રભુ તો પ્રસાદ વર્ષાવેજ છે, ઝીલવા આપણી સજ્જતા જોઇએ. સૂર્ય તો પ્રકાશે જ છે જોવા આંખની રોશની જોઇએ. આવી ઘણી બધી વિશેષતાઓ આ આવશ્યકમાં પણ છે. પંચાચારના કાઉસ્સગ્ન પછી બોલાતું લોગસ્સ સૂત્ર એ ચતુર્વિશતિ સ્તવ આવશ્યક
૩) વન્દન આવશ્યક
वन्द्यते स्तूयते अनेन प्रशस्त मनोवाक्काय वीलेन इति वन्दनम् પ્રશાન્ત મન વચન કાયાના સમૂહથી જે સ્તુતિ કરાય તે વન્દન છે. વન્દનથી કર્મક્ષય થાય છે. વંદના પાપનિકંદના મુનિરાજકું સદા મોરી વંદના રે.
વંદનના દૃષ્ટાંત શીતલાચાર્ય વગેરેના દૃષ્ટાંતો છે. ને તેમાં શ્રીકૃષ્ણજીએ કરેલ ૧૮૦૦૦ સાધુને વંદન અને તે દ્વારા તેમણે પ્રાપ્ત કરેલ ક્ષાયિક સમ્યક્દર્શન તથા તીર્થકર નામકર્મ તથા ૭મી નરકના કર્મના દળિયાને ઉકેલીને ૩જી નારક સુધી જવાય તેટલા કર્યા તેનું વર્ણન છે.
- વંદન કોને કરાય ને કોને ન કરાયની વિસ્તૃત ચર્ચા છે. - વંદન ક્યારે કરાય ક્યારે ન કરાય ને કેટલી વાર કરાય એની ચર્ચા છે. - વંદનની ૨૫ શુદ્ધિ જાળવવાની વાત પણ જાણવા મળે છે.
- ગુરુવ૬માપો મોરવો જેવા શાસ્ત્ર વચનો વંદન આવશ્યક તરફ વધુ અહોભાવ પેદા કરાવે છે.
- ત્રીજા આવશ્યકની શરૂઆત મુહપત્તિના પડિલેહણાથી થાય છે ને વાંદણાએ પરિપૂર્ણ થાય છે આ ત્રીજું આવશ્યક..
(૪) પ્રતિક્રમણ આવશ્યક
સત્યનું અધિષ્ઠાન-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org