________________
ભગવાનના જીવનચરિત્ર સાથે સંબંધિત ચંદનાજીના પ્રસંગમાં અશ્રુની ઘટનાને અહીં એ રીતે વર્ણવાઈ છે કે
પ્રભુ ભગવાન મહાવીર જ્યારે ગોચરી માટે અભિગ્રહથી થઇને પધાર્યા ત્યારે ચંદનાની આંખમાં આંસૂ હતા જ... ચંદના ત્યારે પોતાના પૂર્વ સ્વરૂપને વિચારી ભીતરથી રડી રહી હતી ને પ્રભુ એજ સમયે પધાર્યા છે, ત્યારે ચંદનાએ કહ્યું, પ્રભુ ! આ અડદ, આપ વહોરો ! ને પ્રભુએ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવથી પોતાનો અભિગ્રહ પૂર્ણ થયો છે તેમ જાણી હાથ પસાર્યા છે ને અઠડદના બાકુલાથી પારણું કર્યું છે. આ રીતે પ્રભુ એકજ વાર ચંદનાને ત્યાં પધાર્યા છે ને ત્યારે ચંદનાજીની આંખમાં આંસૂ હતા જ.
પ્રભુવીરના જીવન ચરિત્રમાં ગણધરવાદ નિહ્નવવાદ વગેરેનું વર્ણન પણ સુંદર રીતે કરેલ છે.
સમ્યગ દ્વાદશાંગીનો સાર સામાયિક છે.
પ્રતિક્રમણ કર્યા પછી બોલાતું કરેમિભંતે સૂત્ર એ પ્રથમ સામાયિક આવશ્યક છે. ચતુર્વિશતિસ્તવ આવશ્યક
૨૪ જિનની સ્તુતિ.. જે લોગસ્સ સૂત્રદ્વારા કરવામાં આવે છે. '
સામાયિકમાં સાવદ્ય યોગની વિરતિ બતાવી છે. તો અહીં આ વિરતિને જણાવનારા તેવા ઉપદેશકને વંદન કરવામાં આવે છે.
અથવા સામાયિકથી જો કર્મક્ષય થાય છે તો ભક્તિથી પણ કર્મક્ષય જ થાય છે કહ્યું છે કે મારે નવરાપ વિનંતી પુલ્વેરિયં વમ્ |
આ આવશ્યક દ્વારા પ્રભુભકતિની પુષ્ટિ કરી છે. સ્તવ શબ્દના નિક્ષેપમાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવની ચર્ચા કરીને સાધુને દ્રવ્યસ્તવ હેય છે તો શ્રાવકને દ્રવ્યસ્તવ ઉપાદેય છે તે વાત જણાવી છે.
ઉદ્યોતકર શબ્દની વ્યાખ્યામાં પ્રભુ સૂર્યથી પણ વધુ પ્રકાશી કઇ રીતે તે જણાવતાં સુંદર પદાર્થ સ્પષ્ટ કર્યો છે કે પ્રભુ પણ પ્રકાશિત કરે છે કેવળજ્ઞાન દ્વારા ૨૪ તીર્થકર પરમાત્માના નામોલ્લેખ દ્વારા તે તે પરમાત્માના આ નામની પાછળ શું રહસ્ય છે તે પણ જણાવ્યું છે
‘વિહુયરયમલા'ની વ્યાખ્યામાં - રજ અને મલ શબ્દને ત્રણરીતે વ્યાખ્યાયિત * કર્યો છે.
વીડીઝીક વિખવાદનું અવસાન-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org