________________
૪) મૂળ પાસે બેસી રહેવું તે ગ્રંથિદેશપાસે આત્માનું બેસી રહેવું તે છે. ૫) વૃક્ષથી પાછા ફરવું તે ફરી પાછા મિથ્યાત્વનાં કર્મબંધમાં જવું તે. શ્રત સામાયિક
શ્રુતજ્ઞાનમાં ઉપયોગ એ શ્રુત સામાયિક છે. સમ્યક્ શ્રધ્ધામાં ઉપયોગ એ સમ્યકત્વ સામાયિક છે.
તેમ... અભવ્ય ને આ શ્રુત સામાયિકનો લાભ મળે છે. બીજી સામાયિકનો નહીંદેશવિરતિ સામાયિક
દેશવિરતિના પરિણામમાં એકાગ્ર ઉપયોગ એ દેશવિરતિ સામાયિક છે. સર્વવિરતિ સામાયિક
સર્વવિરતિ પરિણામમાં એકાગ્ર ઉપયોગ એ સર્વવિરતિ સામાયિક છે. આના ૮ નામો આવશ્યકમાં છે. ૧) સામાયિક – મધ્યસ્થભાવ કે પ્રશમભાવની પ્રાપ્તિ થવી તે. ૨) સામાયિક – મૈત્રીભાવપૂર્વક સર્વજીવો તરફ વર્તન તે સામાયિક ૩) સમ્યગુવાદ - રાગ દ્વેષ રહિત મધ્યસ્થભાવે કથન તે. ૪) સમાસ – સંસારમાંથી બહાર કાઢે છે અથવા સમતાનું જે સ્થાન.. ૫) સંક્ષેપ - અર્થ મહાન અક્ષર અલ્પ તે સંક્ષેપ. ૬) અનવદ્ય – પાપરહિત અનુષ્ઠાન. ૭) પરિજ્ઞા - પાપના ત્યાગ માટે હેય ઉપાદેયનું જ્ઞાન પ્રાપ્ત કરવું તે. ૮) પ્રત્યાખ્યાન - ત્યાજ્ય વસ્તુનું ગુરુ સાક્ષીએ તેનાથી દૂર થવાનું કથન તે પ્રત્યાખ્યાન.
સામાયિક એ અષ્ટાંગયોગનાં આઠમો અંગ સમાધિ સ્વરૂપ છે સામાયિક એ વ્યક્ત સમાધિ છે.
આ છે આવશ્યક સૂત્રના પહેલા સામાયિક અધ્યયન અશ્રુ હતાં જ ચંદનાજીની ચક્ષુમાં.. આ સામાયિક અધ્યયનો સામાયિકના વર્ણનની અંતર્ગત નમસ્કાર નિર્યુક્તિ તથા ભગવાન ઋષભદેવનું જીવન ચરિત્ર તથા ભગવાન મહાવીરસ્વામિનું જીવનચરિત્ર
વિસ્તારથી વર્ણવ્યું છે.
ક
આનંદનો સાગર-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org