________________
- અને એટલે જ સામાયિક સાધ્ય પણ છે ને સાધન પણ છે. સામાયિકના પ્રકાર ૧) સમ્યકત્વ સામાયિક, ૨) શ્રત સામાયિક, ૩) ચારિત્ર સામાયિક - દેશવિરતિ સામાયિક સર્વવિરતિ સામાયિક.
આ સામાયિક વર્ણનમાં આવશ્યકમાં ઘણું બધું વર્ણન છે. અનંતાનુબંધી કષાય સમ્યકત્વ સામાયિક ને અટકાવે છે.
અ પ્રત્યાખ્યાન કષાય દેશવિરતિ સામાયિકને અટકાવે છે. પ્રત્યાખ્યાન કષાય સર્વવિરતિ સામાયિકને અટકાવે છે. આ ત્રણ કષાયો મૂલથી તે તે ગુણને રોકતા હોવાથી મૂલ છેદ્ય કહેવાય છે જ્યારે સંજવલન કષાયનો ઉદય મૂળથી કોઇ ગુણને નથી રોકતો પણ વ્રતોમાં અતિચાર લગાવવાનું કામ કરે છે, તથા ચારિત્રની પ્રકર્ષતા રૂપ યથા ખ્યાત ચારિત્રને રોકવાનું પણ કામ કરે છે. કોટિકા ઉદાહરણ
સમ્યકત્વ સામાયિકના લાભ ને જણાવવા માટે ઘણા બધા દષ્ટાંતો આવશ્યક સૂત્રમાં છે. તેમાં એક કીટીકા ગમનના ઉદાહરણથી પણ સમજાવ્યું છે. ૧) કીડીનું સ્વાભાવિક ભૂમિ ઉપર ચાલવું. ૨) કીડીનું ઝાડ ઉપર ચડવું. ૩) કીડીને પાંખ હોવાથી ઉડે. ૪) કીડીનું વૃક્ષના મૂળ પાસે બેસી રહેવું. ૫) કીડીનું વૃક્ષના મૂળથી પાછા ફરવું.
આ પાંચ અવસ્થા કીડીના ગમનના સંદર્ભમાં છે...
સમ્યકત્વ પ્રાપ્તિના સંદર્ભમાં જીવની આ પાંચ અવસ્થા જણાવાઇ છે. ૧) સ્વાભાવિક ચાલવું તે આત્માનું યથાપ્રવૃત્તિ કરણ કરવું તે છે. ૨) ઝાડ ઉપર ચઢવું તે આત્મા અપૂર્વકરણ કરવું તે છે, ૩) પાંખ હોય તે ઉડવું તે આત્માનું અનિવૃત્તિ કરણ કરવા બરાબર છે, જેમાં
આત્મા સમ્યકત્વ પ્રદેશમાં ઉડાણ કરે છે.
સર્વજ્ઞતાની સિધ્ધિ-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org