SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૪) પ્રતિક્રમણથી જ્ઞાનાચારાદિની શુદ્ધિ થાય છે. ૫) કાઉસગ્ગથી - જ્ઞાનાચારાદિની વિશેષ શુદ્ધિ થાય છે. ૬) પચ્ચકખાણથી સંવર નિર્જરાની પ્રાપ્તિ તથા તપાચારની આરાધના થાય છે. છ એ આવશ્યકમાં વીર્યોલ્લાસ ફોરવવાથી વીર્યાયારની શુદ્ધિ થાય છે.. સામાયિક આવશ્યક મોબાઇલ સિદ્ધશીલા એટલે સામાયિક. વિભાવથી સ્વભાવદશામાં લઇ જતું અનુષ્ઠાત તે સામયિક. પ્રશમરતિથી આત્મરતિ તરફ ઉડાણ કરાવતું અનુષ્ઠાન તે સામાયિક. કડવાશમાંથી મધુર પિરણામ પ્રગટાવતું અનુકરણ તે સામાયિક. આત્માને પરમાત્મા બનાવતું અનુષ્ઠાન તે સામાયિક. ૧૪ રાજલોકના જીવોને અભયદાન અપાવતું અનુષ્ઠાન તે સામાયિક માર્ગ અને મંઝિલ સામાયિક. સમ=જ્ઞાન દર્શન ચારિત્ર તેનો લાભ એ જ સામાયિક. એક મઝાની વાત..પૂજ્યપાદ ઉમાસ્થાતિજી મ. તત્વાર્થસૂત્રમાં કહે છે 'સચવર્શન જ્ઞાન પારિત્રાણિ મોક્ષમાર્ગ′ અ. / સૂ. ૧ સ.દ., સ.જ્ઞા., સ. ચારિત્ર એ મોક્ષમાર્ગે છે અને આપણા આત્માનું સ્વરૂપ પણ દર્શન જ્ઞાન ચારિત્ર છે. દર્શન જ્ઞાન ચારિત્રની આરાધનાથી મેળવવાનાં પણ દર્શન જ્ઞાન ચારિત્ર જ છે.. એટલે માર્ગ અને મંઝિલ એક જ છે. કેવું લોકોત્તર શાસનનું તત્ત્વજ્ઞાન છે.. દુનિયામાં ક્યાંય માર્ગ અને મંઝિલ એક જ જોવા નહીં મળે... માર્ગ જુદો અને મંઝિલ જૂદી. શાસનમાં માર્ગ મંઝિલ એક છે. પણ તફાવત માત્ર એટલો જ છે કે જ્યાં સુધી દર્શન જ્ઞાન ચારિત્ર ક્ષર્યોપશમ ભાવના છે ત્યાં સુધી તે માર્ગ છે અને ક્ષાયિકભાવના જ્યારે થાય ત્યારે તે મંઝિલ છે.. (ઔદયિકભાવ - વિનાશી છે. ક્ષયોપશમભાવ - વિકાસી છે (અપેક્ષાએ) ક્ષાયિકભાવ - અવિનાશી છે.) ૧૩૫ Jain Education International ભાવનાની ભૂમિ-આમમ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy