SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૨) અવશ્યકરણીય- મુમુક્ષુ આત્માને પાપથી મુક્ત થવા નિયમિત આચરવા લાયક. ૩) ધ્રુવ - સામાયિકાદિ શાશ્વત છે. અર્થથી અનાદિ અનંત છે. ૪) નિગ્રહ - જેનાથી ઇન્દ્રિયોનો તથા કષાયાદિ ભાવની વિશુદ્ધિ થાય છે. ૫) વિશુધ્ધ – જે આત્માને કર્મમલથી શુધ્ધ બનાવે છે. ૬) અધ્યયન પક – જેને છ અધ્યયન છે. ૭) વર્ગ - જેનાથી રાગ દ્વેષનો પરિહાર થાય છે. ૮) ન્યાય – જે ઇષ્ટ અર્થને સિધ્ધ કરી આપે છે. ૯) આરાધના - જેનાથી આરાધના થાય છે. ૧૦) માર્ચ - જે મોક્ષનગરમાં પહોંચાડે છે. ગુણોથી આત્માને સુવાસિત કરવો તે આવશ્યકોની પરિભાષા છે. આવશ્યકસૂત્રની રચના પ્રથમ દિવસે થઇ પ્રથમ દિવસે શ્રી સંઘમાં તેની આરાધના ચાલુ થઇ છે. છ આવશ્યક ૧) સામાયિક ૨) ચતુર્વિશતિ સ્તવન, ૩) વંદન ૪) પ્રતિક્રમણ ૫) કાઉસ્સગ્ગ ૬) પચ્ચખ્ખાણ સામાન્ય રીતે ક્રમ બતાવવામાં ત્રણ ચીજ જોવાય છે. ૧) ઉત્તરોત્તર મહત્ત્વ બતાવવા માટે જેમકે બાહ્ય અભ્યર ૧ર પ્રકારનો તપ ૨) પ્રાપ્તિક્રમ - દર્શન જ્ઞાન ચારિત્ર શમ સંવેગ નિર્વેદ અનુકંપા આસ્તિય પક્ષાનુપૂર્વીથી પ્રાપ્તિક્રમ છે. ૩) મુખ્યતાક્રમ - છ આવશ્યકમાં સામાયિક સૌથી મુખ્ય છે. માટે પહેલાં બાકીના પાંચ એની જ પુષ્ટિ માટે છે. સામાયિક સાધ્ય છે ને બાકીના પાંચ સાધન છે... પંચાચારની શુધ્ધિ જ આવશ્યકથી ૧) સામાયિકથી સમતાગુણની પ્રાપ્તિ અને ચારિત્રચારની આરાધના શુદ્ધિ થાય છે. ૨) ચતુર્વિશતિસ્તવથી સમ્યક્ટર્શનગુણની પ્રાપ્તિ અને દર્શનાચારની આરાધના શુદ્ધિ થાય છે. ૩) વંદનથી વિનયગુણની પ્રાપ્તિ અને જ્ઞાનાદિની વિશુદ્ધિ થાય છે. વાણીનું મૂલ્ય-આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy