________________
ફળીયા કરવા પડે. એમ સમાચારી માટે સમુદાય જુદા પાડવા પાડે.
વીતરાગનું શાસન પ્રેમના પાયા પર જ છે. બોધિનું બીજ પણ પ્રેમના પાયા પર જ છે.
છ એ છેદસૂત્રનો સાર - અબોધિ થાય તેવું કરાય જ નહિ. છેલ્લામાં છેલ્લા અપવાદનું સેવન કરીને પણ મુનિપણું ટકાવવું.
કાલિકાચાર્ય સાધુ વેશ ગોપવી... વર્ષો સુધી રહ્યા. યુદ્ધ કર્યું રાજાને ખતમ કર્યો. પાછા આ. ભગવંતનો સંઘમાં પ્રવેશ થયો. એક સાધ્વીના શીલના નિમિત્તે, ભાવિમાં સમગ્ર સાધ્વીના શીલની રક્ષા માટે, ભવિષ્યમાં રાજાઓ સાધ્વીના રૂપ જોઇને અપહરણ કરવાની હિંમત ન કરી શકે, તે માટે કાલિકાચાર્યે વેશ મૂક્યો. છતાં ન તો પદ ગયુ ન તો સાધુપણું ગયું.
કોઇની પણ શક્તિ એળે ન જવી જોઇએ. કોઇની ગમે તેવી ભૂલ થાય છતાં ફરીથી તેમને સ્થિર કરવા સૂત્રો છે ગુણોની રક્ષા માટે, ગુણોને વધારવા માટે આ સૂત્રો છે.
૧) આગમ વ્યવહાર - ૯ પૂર્વધર સુધી. ૨) શ્રત વ્યવહાર ૩) આજ્ઞા વ્યવહાર. ૪) ધારણા વ્યવહાર - શ્રત લખાતું ન હતું જેટલી ધારણા તે રીતે વ્યવહાર કરવાનો. ૫) જીતવ્યવહાર - અમારી પરંપરા શું છે ? તે જોવાનું ? ગીતાર્થોએ સ્વીકારેલો વ્યવહાર તે પ્રમાણે વર્તવાનું.
દશાશ્રુતસ્કંધ સૂત્ર :
૨૦ અસમાધિના સ્થાનો, ર૧ સબલ સ્થાનો, ૩૩ આશાતના દેવ દેવીની આશાતના - આ બધી વાતો છે. ગણિ કોણ થઇ શકો ? માટે કોણ આવી શકે ? પર્યુષણ કેવી રીતે કરવા ? મોહનીયના કેટલા સ્થાનો ? આ બધાનું વર્ણન છે. શ્રતઘરનો નાશ ન થાય. બોધિનો નાશ ન થાય. તે રીતે બાલ ગ્લાન આદિને સાચવવા જંગલમાં તેના નિર્વાહ કેવી રીતે કરવો ? આવી બધી પરિસ્થિતિમાં અપરિણત મુનિને ખબર ન પડે. તે રીતે અપવાદમાર્ગનું સેવન કરવાનું બતાવ્યું છે.
પહેલા તો જે આવે તેને મૂંડી નાંખે.. કપડા પહેરાવી દે.. પાણી નાંખે ટકે તો પાકો ઘડો સમજી રાખે. પાણી ન ટકે તો કાચો ઘડો સમજી પરઠવે. કુલ-ગણ સંઘ - આ ત્રણ કોર્ટ છે.
- આમ અનેક પ્રકારની વાતો આ ગ્રંથોમાં બતાવી છે.
ધ્યાનનો ધ્વજ-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org