________________
પ્રાયશ્ચિત... આઠમી વાર ચૂકે તો પારાંચિત પ્રાયશ્ચિત આવે. શાસનમાંથી બહાર કાઢે. મહેમાન સાધુ આવે ત્યારે આટલી બધી જવાબદારી મુનિ ઉપર છે.
દુનિયા નથી જાણતી કે આ સાધુમાં ઓછો આચાર છે કે આ સાધુમાં વધારે આચાર છે ? તે તો માત્ર એટલું જ માને છે કે એક સાધુ બીજા સાધુને ચાહતો નથી. આથી જ અરસપરસ મળવાથી કેટલો હર્ષ થવો જોઇએ. અનાદિકાળથી કુટુંબના દાયરા બાંધીને ભટકાયા. દાયરા તોડીએ તો મોક્ષ થાય. આચારમાં મર્યાદા પાળવાની. પણ પ્રેમમાં મર્યાદા નથી પાળવાની. આવકાર સત્કારમાં મર્યાદા નથી પાળવાની.
ઇતર મુનિને જોઇને એટલા બધા રાજી.. રાજી... રાજી.. થઇ જવાનું કે પેલાને એમ થાય.. જોનારને એમ થાય કે ન કોઇ ભાઇનો સંબંધ.. ન કોઇ બહેનનો સંબંધ... કોઇ કેરાલા તો કોઇ બંગલા દેશના.. ચારેબાજુના સાધુ ભગવંતો અ..હા...હા..હા.. છતાં કેટલો પ્રેમ ! બલિહારી જાઉં આ શાસન ઉપર !
પહેલા તો બાળ સાધુ હોય વૃધ્ધ સાધુ તેને ઉંચકે માથે વહાલથી હાથ ફેરવે જોઇને ગળગળા થઇ જઇએ...
મોટા ગચ્છાધિપતિ હોય તો પણ નવા સાધુ આવે ત્યારે સાત આઠ ડગલા લેવા જવું જ જોઈએ.
જડતી લે તે શ્રાવક ન કહેવાય. પોલીસ કહેવાય. તમે શ્રાવકો તરત જ પૂછો કેટલા ઠાણા ? ક્યાં સમુદાયના ? સંયમ જીવનમાં એક બીજાની સહાયથી નબળા પણ સબળા બની જવાય. સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા.... એક બીજાની સહાયથી જ સંયમ પળાય. દર્શનાચારના આઠ અતિચારમાં પહેલા ચાર નિસ્સકિઅ. અતિચાર એ પગ છે.. અને પછીના ચાર “ઉવવ્હ..” એ માથુ પેટ છે. પગ કપાય તો જીવી શકીએ. પણ માથું પેટ કપાય તો જીવી ન શકાય.
એક સાધ્વીને જીભથી તણખલું કાઢવાનું સામર્થ્ય છે. તણખલું ક્રમે કરીને નીકળી ન શકે. તો સાધ્વી કાઢી શકે.
જ્યાં પ્રેમ નથી. ત્યાં શાસન નથી ભાગ છે. ત્યાં ભાગ્ય નથી. ભાગ્ય ત્યાં જ છે. જ્યાં ભાગલા નથી.
મિયાજીને પૂછ્યું, કેમ છો ? મિયાજી કહે તેરા ચલે તો મારી દે ! તમે રાજી ક્યારે ? સમગ્ર સંઘમાં સંપ. વાત્સલ્ય અને પ્રેમ હોય. વિભાગ એ તો વ્યવસ્થા છે. - પણ તેથી તૂટી ન પડો. જેમ ઘરમાં ઓરડા, દેશમાં રાજ્ય, નગર, ગામ,
ધ્યેયની ધરા-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org