________________
- સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા આવા હોય ? આવું જો આપણા વર્તનથી કોઇ માને તો દોષ લાગે.
પ્રભુનું શાસન ચલાવવા.. બોધિને ટકાવવા મુનિએ કેટલું ઉદાર થવાનું? એક સમુદાયના મુનિ એક ઠેકાણે છે. બીજા સમુદાયના મુનિ બીજે ઠેકાણે છે. હવે સંવિભાગી મુનિ આવે તો કઇ રીતે વર્તવું ? અસંવિભાગ મુનિ સાથે કઇ રીતે વર્તવું? (ગોચરી પાણીનો તેના માટેનું મોટું ચેપ્ટર છે. વ્યવહાર ચાલું હોય તે સંવિભાગી કહેવાય. ગોચરી પાણીનો વ્યવહાર ચાલું ન હોય તે અસંવિભાગી કહેવાય)
મૈત્રી અને કરૂણા ઉપર આખું શાસન છે. મુનિ મુનિને જોઇને ખુશ ખુશ થાય. જો મુનિ મુનિને જોઇને ખુશ ન થાય તો બીજા કોને જોઇને ખુશ થાય ? ભક્તોને જોઇને ખુશ થાય તેનો મોક્ષમાર્ગ તૂટી જાય. ભાંગે તે ભક્ત.
મુનિ મુનિને જોઇને ખુશી ન થાય તો સમકીત રહે નહિ. સમકીત વિના સંયમ ન રહે. સાધુને જોઇને અતિપ્રસન્ન થાય. “મથએ વંદામિ' કહે. આ રાજીપાની નિશાની છે. પધારો કહે.. આવકાર આપે. અસંવિભાગી સાધુ હોય તો પણ જ્યાં સુધી એમની ગોચરી પાણી ન પતે ત્યાં સુધી પોતાની ગોચરી પાણી ન વાપરે. અસંવિભાગી પાસેથી પણ લેવાની ના પાડી છે. દેવાની ના નથી પાડી. “લો... આ પાણી લો.. આ ગોચરી” જે મળ્યું છે તે વહેંચીને ખાવાનું. બાંટકે ખાના વૈકું ઠમેં જાના વહેંચીને ખાવું કે જેથી મોક્ષમાં જવાય.
બાલ (તેમનો અગ્નિ તેજ હોય), ગ્લાન હોય. અસહિષ્ણુ હોય તેમના માટે સિધ્ધાંત જુદા હોય. તેમની વાત જુદી હોય.
જનરલી સશક્ત મુનિઓ પહેલા આવેલા મહેમાનોની ભક્તિ કરે.“ તમારી ગોચરી લઈ આવીએ ?” લાવીને આપવામાં મિથ્યાત્વ લાગતું જ નથી. પ્રભુનો વેશ છે. ને !
તમારા ઘરમાં મહેમાન ન સંભાળો તો ઇજ્જત વધે કે ઘટે ? પહેલા સાધુ ગામમાં રહે તો જંગલમાં ગોચરી જાય. સાધુ જંગલમાં રહે તો ગામમાં ગોચરી જાય. ગમે ત્યારે વિહાર કરીને બીજા મહેમાન સાધુ ભગવંતો આવે ત્યારે તેમના માટે આજુબાજુના ઘરો ખાલી જ રાખે. ભક્તોના ઘરો ખુલ્લાં જ રાખે.. મહેમાન સાધુને સારા સારા ઘરે લઇ જાય. પોતે લુખા રોટલા.. છાશ વાપરે. આમાં જો એકવાર ચુકે તો
પહેલું પ્રાયશ્ચિત. બીજી વાર ચુકે તો બીજુ પ્રાયશ્ચિત. ત્રીજીવાર ચુકે તો ત્રીજુ
શ્રવણનું ઉપવન-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org