SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ પાકે નહિ. આ સૂત્ર પહેલું કેમ મૂક્યું ? તો પહેલાના કાળમાં સાધુ સંન્યાસી પાસે કોઇ વ્યક્તિ ખાલી હાથે ન જાય. દેશનામાં ૩૬૩ પાંખડીઓ હતા ઘણા ફિરકાઓ હતા. દરેક જણ સાધુ પાસે ખાલી હાથે ન આવે. ફલ ફૂલ લઇને આવે. તેમના ચરણોમાં મૂકે. આ સત્કારનો પ્રકાર છે જૈન મુનિને જાણનારા ઓછા હતા. ભારતીય રિવાજ પ્રમાણે દેવતા, અતિથિ, સંન્યાસી પાસે જાય તેમના ચરણોમાં પુષ્પાદિકનું અર્પણ કરે. માટે સાધુથી તે ખવાય જ નહિ. લેવાય જ નહિ. હવે એ કઇ પરિસ્થિતિમાં કયા સંજોગોમાં ખપે ? આ બધુ ક્રમસર આ ગ્રંથમાં લખેલું છે. વગડામાં શ્રતધુર છે. તેના પ્રાણજાય એમ હોય તો, શ્રત પણ ચાલ્યું જાય. તો તેના માટે કેટલાક અપવાદના વિધાનો કર્યા છે. ઘોર જંગલમાં વિહાર માત્ર સાધુઓ જ છે. અચાનક નદી કિનારે ચાલતા આગળ સાધ્વીનો સંઘાટ્ટક છે. સાધ્વી પાણીમાં પડી છે. બીજી સાધ્વીઓ તેને કાઢી શકે તેમ નથી. સાધ્વી ડૂબીને ખતમ થાય એમ છે તો શું તેને ડૂબીને મરવા દેવી ? ગીતાર્થ મુનિ જો તે સાધ્વીના બાપા મુનિ સંઘાડામાં હોય તો તેને કાઢવા કહે.. એમ ન હોય તો પોતે કાઢે. પહેલા ઉત્સર્ગ આમ ન જ કરાય પછી અપવાદ આ પરિસ્થિતિમાં આમ કરાય. વિગેરે વિગેરે વિધાનો કરે. (૧) કોઇ બોધિથી ભ્રષ્ટ ન થાય. (૨) શ્રુતનો નાશ ન થાય. એ બે મુખ્ય વાત છે. તે માટે બધા અપવાદોનું સેવન કરવાનું. શ્રેણિકે એકવાર સાધુને અંદર પૂરી અંદર વેશ્યા મોકલી. અને બહારથી બારણું બંધ કર્યું... વેશ્યાના નખરા વિષે તો કહેવાનું જ શું ? હવે શું ? મહારાજ બગડ્યા વિનાના બહાર નીકળ્યા એવું તો કોઇ માને જ નહિ. એકલમલ્લપ્રતિમાધારી હોય તો પણ રજકરણ પાત્રા અને ઝોળી આટલું તો જિનકલ્પી સાધુને પણ હોય જ. હવે શ્રેણિક તાપસીનો ભક્ત હતો જૈન સાધુની અવહેલના થાય તે માટે તેણે આવું ષડયંત્ર રચ્યું. હવે સાધુએ તે વખતે દીવામાં ઉપકરણો બાળી નાંખી. આખા શરીર પર રાખ ચોપડી દીધી. સવારે શ્રેણિકે બારણું ખોલ્યું તો અંદરથી “ભ..મ...ભ..મ” બોલતા બાવાજી નીકળ્યા. આ પ્રમાણે લોકોની વચ્ચે જૈન સાધુની ઇજ્જત બચી. અને તાપસોની અવહેલના થઇ. શાસનની અપભ્રાજના થાય. ત્યારે તેને રોકવા માટે છેલ્લામાં છેલ્લો ઉપાય પણ સાધુ અજમાવી શકે. ઉક્યારનો ઉપહાર-આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy