SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે સાર્થવાહ કહે,“તમને પૂરેપૂરા પાર કરાવીશું.” એવી ખાતરી મળે પછી સાથે જાય. સાધુ ગાડામાં બેસે જ નહિ. પણ અપવાદ માર્ગે તેવી કોઇ પરિસ્થિતિ સર્જાય તો બેસે... સાધુ ઉઘાડા પગે જ ચાલે પણ તે કાળમાં રાજકુમાર રાજકુમારી રાણીઓ શ્રેષ્ઠિપુત્રો... શ્રેષ્ઠીપુત્રી અત્યંત સુકુમાર શરીરવાળા દીક્ષા લેતા. તેમને પ્રભુના શાસન પર દુર્ભાવ ન થાય તેથી પગમાં બાંધવાના અચિત્ત ચામડા ઉપધિમાં લેતા. ગીતાર્થ એક હોય તેની નિશ્રામાં હજારો વિચરી શકે. અગીતાર્થનું ટોળું નકામું. વૈદ્ય ભણેલો- હોશિયાર હોય દેખાડવો પણ હોય પણ પ્રેક્ટીલ ન જાણતો હોય તો.. દવા ન કરાવાય. તેમ અગીતાર્થની નિશ્રામાં સાધુ સાધ્વીથી રહેવાય જ નહિ. ગીતાર્થ હોય તે ગ્રંથમાં બતાવેલ અપવાદોનું સેવન કરી શકે. આખુ શાસન આગમોના આધારે, શ્રુતના આધારે જ ચાલે. મૃતધર પુરુષ ન હોય તો આગમ ન ચાલી શકે. પહેલા પુસ્તકો ન હતા. ગુરૂ બોલે શિષ્ય સાંભળે અને પાકુ કરે. કાલિક સૂત્રો તે તેના સમયે જ ભણાય. ઉત્તરાધ્યયન છેદસૂત્રો બધા કાલિકસૂત્રો છેલ્લાં અને પહેલા પ્રહરમાં જ ભણી શકાય. પહેલા ઘડિયાળ તો હતા જ નહિ. એટલે સાધુ નક્ષત્ર તારાની ઘડીને જાણતા હોય.. એક મુનિ કાળને પકડે. બીજો મુનિ મોરપીંછીનું દંડાસન ફેરવે. પૂંજે તેનાથી સાપ વીંછી બધા ભાગી જાય. આવા મોર પીંછામાં ગુણ છે. તમારા હિસાબ વિનાના વ્યાપાર ચાલે. આ શ્રુત ટકાવવું એ અમારો પરમધર્મ છે. તેના માટે બધા અપવાદોનું સેવન કરી શકાય. હવે કૃતધર છે. ભયંકર અટવીમાં ફસાઇ ગયા.ઘોર અટવીમાં કોઇ વસ્તુ ન મળે. માણસ ન મળે. આજુબાજુ કોઇ છે નહિ. તો એમનું જીવન કેવી રીતે ટકાવે ? બૃહત્કલ્પનું પ્રથમ સૂત્ર છે કે મુનિ કોઇપણ જાડ ઉપર ફલ-ફૂલ તોડી કાપી ખાય ધાર-બામમ જોડી જવી હતી સરકારક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy