________________
કાચા ઘડામાં પાણી ન ટકે. તેમ અપરિપકવમાં, બાળકમાં રહસ્ય ન ટકે..
પૂ.સાગરજી મ.સા. આગમના શ્રતધર, આગમની બધી પંક્તિ બધું જ કંઠસ્થ. પૂ. પ્રેમસૂરિ મ. કહે છોકરા ધ્યાન રાખજો... જેટલું સારું કરશો તેનો યશ મળશે તો જેટલું ખોટું કરશો તેટલું ભારરૂપ પણ થશે. પૂ.આ. મ.સા. જો અતિચાર નથી લગાડયો. પણ તમે બધા શિખ્યો અતિચાર લગાડો તેનો છઠ્ઠો છઠ્ઠો ભાગ મને લાગે તો મારું શું થશે ? જે કાંઇ શિષ્ય ખરાબ કરે તેનો છઠ્ઠો ભાગ ગુરૂને આવે. દીક્ષા આપનાર દિક્ષા આપીને છૂટી શકતા નથી. શુભ માર્ગ બતાવવો પડે. બૃહતકલ્પમાં આચાર્ય ઉપાધ્યાય ગણીની પ્રવર્તિની વિગેરે આચાર માર્ગથી | માહિતીથી જો આચારમાર્ગ સમ્યગૂ ન બતાવે અને દુર્ગતિમાં જાય તો તેનું પ્રાયશ્ચિત ગુરૂને આવે આ લખેલ છે.
તમને માર્ગ બતાડનાર સક્ષમ પાસે જજો. વૃષભ રથને ખેંચે તેમ તમારો ભાર ઉપાડી અમારે મોક્ષમાં લઇ જવાના છે.
૩૫૦૦૦ શ્લોક પ્રમાણ ટીકા, તેટલી ચૂર્ણિ, તેટલું ભાષ્ય છે આની વાતો કેવી રીતે કરાય.. ?
કેવી વિષમ પરિસ્થિતિ હતી ૧૦૦ વર્ષ પેહલા ! ૧૮૫૬માં દુષ્કાળ જેમાં ૧ લાખ અમદાવાદમાં... ૧ર લાખ બંગાળમાં મર્યા... એ કાળમાં કેટલી વિષમ પરિસ્થિતિ ! રોડ ન હતા.. સમાચાર પહોંચાડવાના સાધનો ન હતા.... રસ્તામાં ન તો કોઇ માણસો મળે. ન તો કોઈ રસ્તો બતાવનાર હોય. મુનિઓના પણ આવા કપરા વિકારો. કોઇ રસ્તા બતાવનાર ન હોય તો ક્યાંના ક્યાં પહોંચી જાય ! પહેલા તો બે દેશ વચ્ચે સીમા હોય.. ઘોર જંગલ હતા... કારણ કે રસ્તા થાય તો જલ્દી આક્રમણ થાય. જ્યાં રેલ જાય ત્યાં અંગ્રેજ જાય. જેટલી સગવડ વધશે. દુશ્મનના આવવાના દ્વારા ખુલ્લા કરે.. જેટલી સગવડ વધારે તેટલી ભયંકર યાતના ભોગવવાની છે.
લાખો પશું તેને નિભાવવા પણ જંગલ જોઇએ. ઇંધન માટે પણ ઘોર જંગલો જોઇએ. સુરક્ષા માટે પણ ઘોર જંગલો જોઇએ. આવા જંગલોમાંથી પસાર થવાનું હોય ત્યારે આ. ભ. કઇ રીતે જાય ? આચાર્ય મ.સા. સાર્થવાહને પૂછી આવે. “અમારે આવવું છે. તમે અમને સાચવી શકશો ? ” તો હવે સાર્થવાહ સાથે કઇ રીતે વાત કરવી ? બધું જ આ સૂત્રમાં શીખવ્યું છે. વળી આચાર્ય ભગવંત સાર્થવાહને કહે કે ભયંકર જંગલ હોય, અમારી સાથે વૃદ્ધ સાધુ હોય, નાના બાળક સાધુ હોય, થાકી જાય,
પરિણામથી ભ્રષ્ટ ન થાય તો અટવી પાર કરાવવામાં તમારું ગાડું મળશે ?
વિરોધનો વિરોધ-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org