________________
મૂળ દ્વાદશાંગી, આચારાંગથી લોકબિંદુસારમાં ૧ર અંગ સુધીનો માર્ગ બનાવેલો છે.
આચારાંગમાં ઉત્સર્ગ માર્ગનું નિરૂપણ છે. પણ ઉત્સર્ગ માર્ગે ચાલવાનું બધાનું સામર્થ્ય હોતું નથી. આચારાંગ પરથી છેદ સૂત્રની ઉદ્ધારણ કરી છે. બૃહત્ કલ્પ - પ.પૂ. ભગવાન ભદ્રબાહુવામીની રચના છે. જેટલું કેવળજ્ઞાની જાણે
તેટલું જ ૧૪ પૂર્વધર જાણે... પડતો કાળ.. વિષમ પરિસ્થિતિ કાળ વધુને વધુ બગડતો જવાનો.. સંઘયણ બુદ્ધિ ધૃતિ ઘટતી જવાની છતાં
બધા પ્રભુનું શાસન પામી શકે. સાધી શકે તેવો માર્ગ છેદસૂત્રમાં બતાવ્યો.
છેદ નામ કેમ આપ્યું ? છેદ એટલે પ્રાયશ્ચિત દંડ સજા સૂત્ર. કઇ સ્થિતિમાં કઇ રીતે વર્તે તો ગુનેગાર થાય અને કઇ રીતે ન વર્તે તો ગુનેગાર ન થાય ? આ વાત બતાવી છે. ડોક્ટરથી ઓપરેશનમાં દર્દી મરી જાય તો કેસ ન થાય. પણ રમતા રમતા શસ્ત્ર વાગે અને મરી જાય તો કેસ થાય. આ શસ્ત્રનું વાગવું એ આકસ્મિક છે કે જાણી જોઇને ? આ બધી વિચારણા થયા પછી દંડ થાય.
થયેલી ભૂલના કારણે મુનિનો પર્યાય કાપવામાં આવે, ત્રણ ચાર મહિના ઓછા કરવામાં આવે, સીનીયોરીટી ઓછી કરાય, આ આખી વિધિ જેમાં છે તે છેદસૂત્ર કહેવાય.
આમાં એટલી બધી ગંભીર વાતો છે કે અપરિપક્વ સાધુ સાધ્વી સામે મૂકી ન શકાય.
નાની ઉંમરના સાધુ સાધ્વી હોય.. બાળદિક્ષિત હોય તેઓને જ્યાં સુધી બગલમાં વાળ... દાઢી.. મૂછ ન ઉગે ત્યાં સુધી આ ગ્રંથ ન ભણાવાય.
એક શેઠને ત્યાં સાધુ મ. ગોચરી વહોરવા ગયા. ત્યાં છિકામાં કંદમૂળ જોયું. સાધુ મહારાજે કહ્યું, શેઠ, તમારા ઘરમાં આ શોભે નહિ, સવાર સાંજ સાધુ સાધ્વીના પગલા થાય. માટે આ સાથે જ નહિ. શેઠ કહે, “હાજી, હવે આપની નજરમાં ક્યારેય આ વસ્તુ નહિ આવે. સાધુ ભગવંત વિચારે છે કે શેઠ સરળ છે. તરત જ સ્વીકારી લીધું. બે ચાર દિવસ પછી સાધુ ભગવંત પધાર્યા. શીકા તરફ નજર રાખી. તો ખાલીખમ હતું. અમે પણ પોલીસ તો ખરા ને ?
એટલામાં નાનો પપ્પ દોડતો આવ્યો, અને કહે કે, તમારા ગયા પછી પપ્પા મમ્મીને વસ્યાં કે આ ચીજ અહીં રાખી જ કેમ ? હવે પેલા અંદરના ભંડારમાં
રાખી દો !”
વિનાશનો વિનાશ-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org