________________
શ્રી બૃહત્ કેલ્પ સૂત્ર , શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર
પૂ. મુનિશ્રી ધુરંધરવિજયજી મ.
આજે આસો સુદ ૧૪ વાચના શ્રેણીનો છેડો નજીકમાં છે. ખૂબ સુંદર રીતે પ્રવાહ ચાલ્યો.
પાણીમાં મીન પ્યાસી... પાણીમાં રહેનારી માછલી એ ક્યારેય પણ તરસી હોઇ શકે ? હાય હોય તો એને તરસ લાગે તે વખતે મોટું ન ખોલે અને બંધ જ રાખે તો ? પાણીમાં રહેવા છતાં તરસી રહે...
આપણે કેવા ? : થોડો સમય છે. સાવધ થઇ બીજા પ્રવૃત્તિ ગૌણ કરી આ આગમ વાચના
સુણીએ.
અનંત ઉપકારી પરમાત્માએ સર્વના હિત માટે શાસન સ્થાપ્યું. પોતાનું હિત તો ત્રીજા ભવમાં જ સિદ્ધ થઇ ગયું હતું. પણ તેમને થયું કે જે મને મળ્યું છે તે પરમ ઉપાદેય છે. મને મળ્યું તે કેટલું અદભૂત છે ! કેટલું સરળ છે ! માત્ર અજ્ઞાનના કારણે જીવો પામતા નથી. માટે સરલ મોક્ષમાર્ગ જ્ઞાનમાર્ગ બતાવું છે જેથી સરળ રીતે સર્વ દુઃખમાંથી છૂટકારો પામે - મુક્તિ પામે. આ તમન્નાથી તીર્થકર નામકર્મ બાંધ્યું. તીર્થકરના નામકર્મના વિપાકોદયે આપણા માટે સર્જાયેલું આ તીર્થ છે. ચાહે ભગવાન ઋષભદેવ હોય.. ચાહે ભગવાન મહાવીર હોય. આપણે પરમસુખને પ્રાપ્ત કરી શકીએ તે માટે જ પરમાત્મા બોલ્યા છે. મૃતધરો ગણધર ભગવંતોએ સૂત્ર ભાષ્ય ચૂર્ણિ
નિર્યુક્તિ ટીકા વિગેરેમાં સમયાનુસાર ગૂંથી લીધું છે. તે જ માર્ગ આપણા પી. સુધી આવ્યો છે.
વિચારોમાં વિવેક-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org