________________
(FICING
કેટલીક વાચનાઓના અવતરણ બિલકુલ જ મળી શક્યા નથી ત્યાં મેં જ સંક્ષિપ્તમાં મુદ્દાઓ અવતરિત કરી આ પુસ્તકમાં પ્રસ્તુત કર્યા છે. અહીં એવી અપેક્ષા બિલકુલ સ્થાન નહિ પામી શકે કે આગમોનો પરિચય વિસ્તારથી મળે ! કેમકે બે કલાકમાં ત્રણેક આગમોનો પરિચય કરાવવાની સ્થિતિ હતી. એટલે એમાં જેટલું શક્ય બન્યું એટલું જ પ્રકાશિત કરવા બડભાગી બની શક્યા છીએ...
આગમ-વાચનાના આ પુસ્તકના ઉલઝનભર્યા પ્રકાશન કાર્યમાં આત્મીય સુવિનેય મુનિ શ્રી વિરામચન્દ્રસાગરજીની સૂઝ-બૂઝ અને કુનેહ તે સિવાય સુવિનેય-પ્રવરો મુનિ શ્રી મેઘચન્દ્રસાગરજી, મુનિ શ્રી અપૂર્વચન્દ્રસાગરજી, મુનિ શ્રી પાચન્દ્રસાગરજી, મુનિ શ્રી આનંદચન્દ્રસાગરજી આદિનો સહયોગ ઘણો સહકારી બન્યો છે. એની નોંધચૂક અસહનીય છે.
પુસ્તક-પ્રકાશનમાં ઔદાર્ય દાખવનારા ભાગ્યશાળીઓ અને એની વ્યવસ્થામાં સહયોગી સુશ્રાવક શ્રી ભરતભાઇ ગોરેગામ મુંબઇવાળા તથા મુદ્રણકાર્યમાં કંટાળો લાવ્યા સિવાય પ્રસન્નવદને વારંવારના સૂચનો અનુસાર કામ કરી આપનાર રાજુલઆર્ટસના માલિક કીર્તિભાઇનો સહયોગ પણ વિસારી શકાય એવો નથી.
પુસ્તક-પ્રકાશનમાં અથેતિ જવાબદારીમાં જિનાજ્ઞા-વિરુદ્ધ કેઇ પણ કાર્ય થવા પામ્યું હોય તે બદલ મિચ્છામિ-દુક્કડમ્...
હેમચન્દ્રસાગર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org