________________
KICINS
સૂરિદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. અને ધન્ય આ આયોજન કરનારા પૂજ્યશ્રીઓ...હવે વાચનાના છેલ્લા દિવસો ચાલી રહ્યા હતાં... સહુના મનમાં ખેદ વરતાતો હતો કે ક્યાં મળશે આવા ફરીથી દિવસો ! દિવસો ભલે ના મળે પણ આ દિવસનું સંભારણું અને આ વાચનાને વાગોળવાનો અવસર તો મળે તો ય ઘણું સારું...અને એક યોજના પ્રસ્તુત કરવામાં આવી કે આ સત્તર દિવસમાં જે ૪૫ આગમોની વાચના થઇ એના ખાસ મુદ્દાઓનું એક પુસ્તક પ્રકાશિત થાય...અંદાજિત ખર્ચનો એસ્ટીમેન્ટ કાઢી જાહેર કરવામાં આવ્યું કે ૧૦૮ રૂપિયામાં એક પુસ્તક. જેની જેટલી ભાવના હોય તે બોલો. અને સૌ પ્રથમ રાજા પરિવારે સારામાં સારી ઉદારતા દાખવી એમની પાછળ અન્ય ભાવિકોએ પણ ઉત્સાહથી ઔદાર્ય દાખવ્યું અને કલ્પનાતીત સંખ્યામાં પુસ્તકો લખાયા...
હવે મહત્ત્વની વાત એ બની કે આ યોજના બહુ પાછળથી સૂઝી એથી કોઇએ પણ પુસ્તક પ્રકાશનના લક્ષ્યથી તો વાચના ઉતારેલી જ નહિ...એટલે છેલ્લે એ જાહેરાત કરવામાં આવી કે જે પૂજ્યશ્રીએ વાચના ફરમાવી તેઓ સ્વયં પોતાના તરફથી પોતાની વાચનાનું લખાણ મોકલી આપે...આ લખાણ મેળવવામાં ખૂબ જ વિલંબ થવા પામ્યો છતાં ખેદની વાત એ છે કે દરેક પૂજ્યશ્રીઓના લખાણ પ્રાપ્ત થઇ શક્યા નથી.
જે પૂજ્યશ્રીઓએ લખાણ આપ્યું એ તો અક્ષરશઃ એ જ રીતે મુદ્રિત કરાવ્યું છે પરંતુ જેઓશ્રીનું લખાણ ઉપલબ્ધ નથી થઇ શકયું એ માટે અમારે ઘણી મહેનત લેવી પડી છે. જ્યાંથી જ્યાંથી ઉપલબ્ધ થઇ શકે ત્યાંથી ત્યાંથી લખાણ મેળવવા કોશિષ કરી એમાં મારા પ્રશિષ્ય શ્રી આગમચન્દ્રસાગરજીની નોંધ, પૂજ્ય આગમોદ્ધારકશ્રીના સમુદાયવર્તિની સાધ્વી શ્રી વિદ્વતાશ્રીજી મ., સાધ્વી શ્રી શીલવર્ષાશ્રીજી મ. તથા પૂજ્ય આચાર્યદેવ શ્રી કલાપૂર્ણસૂરિ મ. ના સમુદાયવર્તિની સાધ્વી શ્રી દિનમણિશ્રીજી મ., સાધ્વી શ્રી ચિત્તપ્રસન્નાશ્રીજી મ. ની વાચના-નોંધ અમને ઘણી મદદગાર રહી. એ બદલ ઉપરોક્ત પાંચેય પુણ્યાત્માઓનો હાર્દિક-આભાર...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org