________________
KICINS
ભળી જતો ત્યારે વાતાવરણ ઘણું જ આહ્લાદક લાગતું હતું. ભાદરવા વદ ૧ થી આ વાચનાનો શુભારંભ એવી અદ્ભુત છટાથી થયો કે અનેક પૂજ્ય સૂરિદેવો અને પચાસથી વધુ પૂજ્ય શ્રમણભગવંતો તથા ૫૦૦ થી વધુ પૂજ્ય શ્રમણી ભગવતીજીઓ પધારતાં અહીંના વાત્સલ્યમય વાતાવરણમાં તપાગચ્છ-અચલગચ્છ-ત્રણ થોય-ચાર થોય-એકતિથિ કે બેતિથિના કોઇપણ જાતના ભેદ વિસરાઇ ગયા હતાં ! શ્રાવક-શ્રાવિકાની સંખ્યા પણ એટલી બધી વધી ગઇ કે પન્નારુપા ધર્મશાળાનો વિશાળ હોલ સંકીર્ણ પડ્યો. રાજા પરિવારે એની સાથે બીજો મંડપ બંધાવી શ્રવણ સુવિધાને અખંડ રાખી હતી.
પવિત્ર એવા આગમ-શ્રવણનું પવિત્ર કાર્ય એવી જ પવિત્ર મર્યાદાનુસાર થવું જોઇએ એવી પ્રેરણા થતાં દરેક વાચનાનું શ્રવણ ભાઇઓ અને બહેનોએ માથું ઢાંકીને જ કર્યું હતું. રાજા પરિવાર તરફથી આ માટે સ્પેશ્યલ ટોપીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ખુદ હિમાંશુભાઇ રાજાએ આખી વાચના પાઘડી, ખેસ-ધોતિયામાં પૂર્વકાલીન મહર્ધિક શ્રેષ્ઠીની અદામાં શ્રવણ કરીને આકર્ષક આલંબન પુરું પાડ્યું હતું.
એક એક દિવસ વીતતો ગયો અને શ્રોતાઓની ભીડ વધતી ચાલી...માત્ર શ્રાવણ જ નહિ ચારે બાજૂ વાચનામાં આવતા પદાર્થો નોટડાઉન પણ થતાં ચાલ્યા...એક એક આગમ-ઉપર શ્રોતાઓ આફરીન પોકારતા ગયા કે,
ઓહ ! આપણને મળેલા આગમો આવા અદ્ભુત છે...આટલા બધા વિષયોની આમાં છણાવટ છે ? વાહ ! પ્રભુવીરની સર્વજ્ઞતા કેટલી બધી યથાર્થ ભાસે છે. વિશ્વનો એવો એક વિષય નહિ હોય જેમાં જિનશાસને માત્ર ડોકિયું જ નહિ પણ અવગાહણ ન કર્યું હોય ! ખરેખર ધન્ય આ ક્ષણો. ધન્ય અમારા અહોભાગ્ય ! ધન્ય આ આયોજનનું નિમિત્ત બનનારા સ્વર્ગીય
Jain Education International
For Personal & Private Use Only
www.jaimembrary.org