SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ શિષ્યને આપી શકાય. તેનું નામ મહાનિશીથ છે. દરેક આગમના જોગ કરવાના છે. તેમાં સૌથી કઠિન જોગ મહાનિશીથના છે. તેની સાધના કઠિન છે. તપશ્ચર્યા કઠિન છે. અને કાયક્લેશ પણ કઠિન છે. ઉપધાન તપની આરાધના પણ મહાનિશીથવાળા જ કરાવી શકે. સૂત્રનું ઉચ્ચારણ.. વિધિ મહાનિશીથવાળા જ કરાવી શકે... આ સૂત્રની કેટલી ગરિમા અને ગૌરવ હશે કે જ્યારે આ સૂત્રનો વિચ્છેદ થશે ત્યારે ચોદ રાજલોકમાં અંધારું થશે. તીર્થકરના ચાર કલ્યાણક વખતે ચૌદ રાજલોકમાં અજવાળું થાય છે. પણ નિર્વાણ કલ્યાણક વખતે બપોરનો સમય હોય તો પણ ક્ષણ ભર અંધારું થાય છે. તેમ પાંચમો આરો પૂર્ણ થશે ત્યારે ભારે અંધારું થશે. કલ્કિરાજા થશે. સાધુને ગોચરી અને ટેક્ષ ભરવો પડશે ત્યારે આ સૂત્રનો વિરછેદ થશે. ૪૮ કલાક આકાશમાં વાદળા ન હોય તો પણ સૂર્યના દર્શન ન થાય... આનાથી કલ્પના કરો કે આ મહાનિશીથ કેટલું ગૌરવવંતુ હશે ? આના આઠ અધ્યયનો છે. ૧. શલ્યોરણ અધ્યયન :- આલોચના, નિંદા, ગહ કોને કહેવાય..? કેવી રીતે દૂર કરવી..? જ્યારે ગુરૂ મ. પ્રશાંત હોય, ઉપશાંત હોય, આપણા તરફ લક્ષ્ય હોય, આપણી વાત સાંભળવા તૈયાર હોય, ત્યારે આલોચના વ્યક્ત કરવી. ૨. કર્મવિપાક વ્યાકરણ :- ભાષાને સ્પષ્ટ વ્યાકરણ દ્વારા કરાય છે. આમાં કર્મ વિપાકોનું વર્ણન છે. કર્મ કેવી રીતે દૂર થાય તેનું સ્પષ્ટીકરણ છે. ૩. કુશીલ અધ્યયન :- સુશીલના સંસર્ગથી આપણા આત્માની ઉર્ધ્વગતિ થાય છે. અને કુશીલના સંસર્ગથી આપણા આત્માની અધોગતિ થાય છે. આપણે સંપર્ક કોનો કરવો ? તેનું વર્ણન આમાં છે. નમસ્કાર મહામંત્રનું પણ વર્ણન આમાં આવે છે. નવકાર એ સામાન્ય નામ છે. નમસ્કાર મહામંત્ર આ સૈદ્ધાંતિક નામ છે. શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ સચૂલિક” આ આગમિક નામ છે. નવકાર એ માત્ર શ્રુતસ્કંઘ નથી. પણ મહાશ્રુતસ્કંઘ છે. નવકાર માટે ઉપધાન કરવાનું, કેટલા દિવસનો ? કયો તપ કરવાનો..? આનું વર્ણન આમાં છે. શ્રાવક માટે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ આ બંને પ્રકારની પૂજા છે. જે ભાવને પેદા કરે તે દ્રવ્ય કહેવાય. જેમાં દ્રવ્યની જરૂર નથી. માત્ર પરમાત્માની ભક્તિ છે. તે ભાવ કહેવાય. શ્રાવકને બંનેનો અધિકાર છે. સાધુ માટે માત્ર ભાવનો અધિકાર છે. સાધુ વિચાર કરે કે હું અષ્ટપ્રકારી પૂજા કરું ? તો ના પાડી છે. શ્રાવક પોતાની સંપત્તિ ડીઝ ખર્ચા મેરૂપર્વત જેટલું દહેરાસર બનાવે તેના દ્વારા જે પુણ્ય પ્રાપ્ત કરે તેના જો એક જ સહજતાનું ઝરણું-આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy