________________
૨) મધ્યમ :- નીશીથસૂત્ર ગુરૂ મ, ના ચરણોમાં યોગોદવહનપૂર્વક પ્રાપ્ત કર્યું છે. ૩) ઉત્કૃષ્ટ :- તે તે કાલનું સમસ્ત શ્રુતજ્ઞાન જેણે પ્રાપ્ત કર્યું છે.
પ્રાયશ્ચિત કોણ આપી શકે ? તે બતાવ્યું છે. આલોચના અને પ્રાયશ્ચિત બંનેમાં શું ફરક છે ?
પોતાના દ્વારા જે દોષનું સેવન થયું હોય તેને બરાબર ચારે બાજુથી જોઇ ગુરુ મ. પાસે પ્રગટ કરે તે આલોચના. તેના બદલે ગુરુ મ. તપ કાયોત્સર્ગ સ્વાધ્યાય આદિ આપે તે પ્રાયશ્ચિત.
| ગમે તે પ્રાયશ્ચિત ન આપી શકે. જુવાન સાધુ પાસે ચોથા વ્રતનું પ્રાયશ્ચિત ન લઇ શકાય. તમારા પાપની અભિવ્યક્તિ સામેની વ્યક્તિ પરિપક્વ ન હોય તો તેના ચારિત્ર મોહનીયના ઉદયનું કારણ બની જાય. તમારું પાપ વાંચતા તેને વાસના પેદા
થાય.
કોઇ વ્યક્તિથી પાપ થઇ ગયું છે. શરમ લજ્જાથી કહી શકતી નથી. ગીતાર્થને ખબર પડી જાય કે આણે પાપ કર્યું છે પણ એકરાર કરતા શરમ આવે છે. તો ગીતાર્થ તેની પાસે સમજાવી પાપ પ્રગટ કરાવે છે. પાપ થઇ ગયા બાદ જેટલી મોડી આલોયણ..મોડુ પ્રાયશ્ચિત કરીએ તો પાપનો ગુણાકાર થતો જાય.. જેટલું વહેલું પ્રાયશ્ચિત લઇએ તેટલો પાપનો ભાગાકાર થતો જાય. માટે પાપનું આલોચન તત્કાળ ગુરૂ મ. પાસે વ્યક્ત કરવું જોઇએ... તેની હિતશિક્ષા આ ગ્રંથમાં છે.
- પાપ કરવું એ દુષ્કર નથી. અનાદિકાળથી આખુ જગત નિમિત્તથી ભરેલું છે. માટે પાપ થવું દુષ્કર નથી. સમ્યગૂ વિધિપૂર્વક પ્રગટ કરવું તે જ દુષ્કર છે. પ્રભુ વીરની પર્ષદામાં આ એકરારની વાત પ્રાયશ્ચિતનું વર્ણન સાંભળી એક બાઈ ઉભી થઇ. રડતી રડતી કાકલૂદીભરી વિનંતી કરે છે. મેં ભયંકર પાપો કર્યો છે. મારા માથામાં જેટલા વાળો છે. તેટલા પતિ મેં કર્યા છે. તેનું પ્રાયશ્ચિત આપો. ૧૨ પર્ષદાની વચ્ચે ઉંચા કુળની વ્યક્તિ પરમાત્મા પાસે પ્રાયશ્ચિત માંગે છે. પરમાત્મા કહે છે તે જે જાહેરાત કરી.... પાપનો એકરાર કર્યો તે જ પ્રાયશ્ચિત છે. માત્ર મિ. . કહી દે. પાપ કેટલું મોટું..? અને પ્રાયશ્ચિત કેટલું નાનું...? ત્યાં ભાગાકાર કોણે કર્યા ? નિંદા.... ગઈ.. એકરારે... આવી ઘણી ઘણી વાતોનું વર્ણન નિશીથ સૂત્રમાં છે.
મહાનિશીથ સૂત્ર - મહા= મધ્ય. આ સૂત્ર મધ્યરાત્રિએ જ
સત્યનો આદિત્ય-આગમ
છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org