________________
સ્થાવર કોઇ પણ જીવની હિંસા નહિ કરીએ. પણ હવે એવો પ્રસંગ આવે કે નદી ઉતરવી જ પડે તો શું કરવું ? જયણાપૂર્વક નદી ઉતરે. 9 પાયે ગતે વિવ્યા , પાયે થને વિધ્વી આ પાઠ દ્વારા નદી ઉતરવી પડે. ઉત્સર્ગમાર્ગની સુરક્ષા ખાતર અપવાદમાર્ગનું સેવન કરવું પડે.. તે વર્ણન આમાં કર્યું છે.
- ત્રણ પ્રકારના આત્મા છે ૧) પરિણત હળું કર્મ, લઘુ કર્મી, ઇશારામાં સમજી જાય. તેને જ આ શાસ્ત્ર આપી શકાય. ૨. અતિપરિણત- ગમે તેવા સંજોગોમાં પણ અપવાદ માર્ગનું સેવન ન જ કરે. આ જીવને શાસ્ત્ર આપી શકાય નહિ. તથા ૩) અપરિણત- ને પણ શાસ્ત્ર આપી શકાય નહિ. માત્ર ગાંભીર્યગુણવાળાને જ શાસ્ત્ર આપી શકાય.
વળી આમાં ચક્રવર્તીના શીતગૃહનું વર્ણન છે. ચક્રવર્તી પાસે એવા ઓરડા મકાન છે કે જેમાં વૈશાખ મહિનાની ગરમીમાં તાપ ન લાગે. શિયાળામાં તેમાં ગરમાટો રહે. ચોમાસાના ભેજવાળા વાતાવરણની પણ અસર ન રહે. શીતગૃહમાં કોઇ ભેજની શારિરીક તકલીફ ન થાય.
ઘોડાને કાંટો વાગે તો તેને કેવી રીતે કાઢવો? તેની જાણકારી વિદ્યા બતાવી છે.
ઘોડાને કાંટો વાગે તો અમુક પ્રકારની માટી લગાડાય બધે માટી સુકાઇ જાય પણ કાંટાની જગ્યાએ ન સૂકાય એથી કાંટાની જગ્યાનો ખ્યાલ આવે, કાંટા સહેલાઇથી કાઢી શકાય. એ રીતે શિષ્યના ખરેખરા શલ્યને દૂર કરવા શું કરવું ? એ જણાવવા ઘોડાનું આ દૃષ્ટાંત જણાવે છે.
સંવત્સરી ક્યારે કરવી ? પહેલા પાંચમની સંવત્સરી હતી. કાલિકાચાર્ય થવાના.. ચોથની સંવત્સરી કરવાના.. વળી સંવત્સરી કેટલામાં દિવસે કરવી ? આ બધી વાતો આમાં છે.
ત્રણ પ્રકારના ગીતાર્થ (Wવીર) બતાવ્યા છે. ૧. પર્યાય સ્થવર :- ૨૦ વર્ષનો દીક્ષાપર્યાય જેનો હોય તે. ૨. વય સ્થવર :- ભલે દીક્ષા મોડી લીધી હોય પણ જેની ઉમર ૭૦ વર્ષની છે. જેની પાસે અનુભવનો નિચોડ છે. ૩. જ્ઞાન સ્થવર :- ૧) જઘન્ય ૨) મધ્યમ ૩) ઉત્કૃષ્ટ
૧) જઘન્ય :- ઠાણાંગ અને સમવાયાંગ સૂત્ર જેણે અર્થસાથે પ્રાપ્ત કર્યું છે તે.
કીડી
કીક મુવિહંસનું માનસર-આમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org