SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ રોકાયા. એક શિષ્યને આગમ ભણાવવાનું હશે. આસપાસ કોઇ નથી એમ માની શિષ્યને કાનમાં સૂત્ર અર્થ કહ્યા. તેમાં સમૂર્છાિમ પંચેન્દ્રિય માછલા કેમ ઉત્પન્ન થાય..? તેની વાતો આવે છે. બાજુમાં માછીમારનું મકાન છે. માછીમાર જાગી જાય છે. દિવાલે કાન માંડી બધુ સાંભળે છે. ફલાણી વનસ્પતિ ફલાણુ ચૂર્ણ ભેગા કરી પાણીમાં નાંખો તો અનેક માછલા ઉત્પન્ન થાય. ગુરૂ મ. એ વિશ્વાસમાં છે કોઈ સાંભળતું નથી. બીજે દિવસે માછીમાર ચૂર્ણ લાવ્યો. ઘણા માછલા ઉત્પન્ન કર્યા. વગર મહેનતે વગર પ્રયત્ન આટલી બધી માછલીઓ ઉત્પન્ન થઇ. રોજનો ધંધો ચાલુ થયો. સસ્તા ભાવે વેચે છે ધંધો ધીકતો ચાલે છે. લખપતિ બને છે. ફરી આ.ભ. પધારે છે. એજ ઘરમાં ઉતરે છે. માછીમાર મ.સા. ને ઓળખી જાય છે. આવા આ.ભ. ની કૃપાથી આટલું બધું ધન મળ્યું છે સંપત્તિમાંથી હીરા.. માણેકનો થાળ ભરી કૃતજ્ઞભાવે ભેટશું ધરે છે. આ.ભ. પૂછે છે શું વાત છે ?' માછીમાર કહે છે, “આપશ્રીનો તો મારા પર જબરદસ્ત ઉપકાર છે. તમે પહેલા આવેલા. ત્યારે શિષ્યના કાનમાં સૂત્રો સાંભળાવતા હતા. એ મેં સાંભળી આપની કૃપાથી મેં એટલી બધી માછલીઓ મેં પેદા કરી કે હમણાં ગામમાં સંપત્તિમાન હું છું. આ.ભ. જેમ સાંભળે છે. તેમ રૂંવાડા ખડા થઇ જાય છે. કાંટાની જેમ ખૂંચે છે. મારાથી એક ગંભીર ભૂલ થઇ ગઇ. એક સૂત્ર મેં વિપરીત રીતે (મંદ સ્વરે નહિ) કહ્યું. હવે શું કરવું ? હવે આ ધંધો બંધ તો કરે નહિ. બંધ થાય નહિ તો મારા નિમિત્તે કેટલા માછલાનો સંહાર થાયખૂબ વિંચાર કર્યો. આચાર્ય ભગવંતે ન છૂટકે બળતા હૃદયે બીજી વાત કરી. આમાં તને શું મળ્યું? મારી પાસે તો એવી વિદ્યા છે કે સુવર્ણ પુરુષ પેદા થાય. બંધ ઓરડામાં તારે આટલા દ્રવ્યો... આટલા ચૂર્ણો પાણીમાં નાંખવાના એટલે સુવર્ણ પુરુષ તૈયાર થઇ જશે. તારે કોઇ કામ કે ધંધો કરવાની જરૂર ન પડે. માછીમારે બીજા દિવસે પ્રયોગ કર્યો. ઓરડો બંધ કર્યો. પાણી અને ચૂર્ણામાંથી વાધ ઉત્પન્ન થયો. માછીમારને ખતમ કર્યો. અંતર્મુહૂતે વાધ વિલીન થઇ ગયો. જો ધંધો ન છોડે તો પોતાના દીકરાને ધંધો શીખવે તો કેટલા બધા પંચેન્દ્રિયની હિંસાની પરંપરા થાય માટે આ ઉપાય કર્યો. આ છેદસૂત્ર કહેવાય છે. આ ભણાવવા માટે યોગ્યતા પાત્રતા જોવામાં આવે છે. સૂત્ર લેનાર કરતાં દેનારને મહાદોષ થાય છે. આવા સૂત્રો પરિપક્વતા વગર ન અપાય. ઉત્સર્ગ માર્ગ=ચાલુ માર્ગ-મૂળ માર્ગ તેને ટકાવવા માટે અપવાદ માર્ગનું સેવન કરવું પડે. અપવાદ માર્ગના પ્રસંગ વખતે અપવાદ માર્ગનું સેવન ન કરે તો પણ વિરાધક છે. અમે ચતુર્વિધ સંઘ વચ્ચે પ્રતિજ્ઞા કરીએ છીએ કે સૂક્ષ્મ કે બાદર, ત્રસ કે અમ મૌલિકતાનો મહાનાદ-આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy