________________
કરતા ઓધો લેવાથી વધારે પુણ્ય પેદા થાય..!
સિદ્ધ ભગવંતો કેવા સુખમાં મહાલે છે તેનું વર્ણન છે. ૪) નવનીત સાર :- “ગચ્છાચાર પન્ના” આ અધ્યયનનો જ એક ભાગ છે. પાંચમા આરાના છેડે જે ઘટના છે. તે જણાવેલું છે. પાંચમા આરાના છેડે સંઘ રહેવાનો તેમાં કેટલા ક્યાં શ્રાવક ? ક્યાં શ્રાવિકા..? તેનું વર્ણન છે. ૨૦૦૪ યુગપ્રધાન થવાના છે. ૨૦૦૦ યુગપ્રધાન લાયોપથમિક સમ્યકત્વના ધણી થશે. ક્ષાયોપથમિક સમ્યક્ એટલે જેમાં up down થવાય. ચાર યુગપ્રધાન ક્ષાયિક સમ્યકત્વના ધણી થશે. આ સમ્યકત્વ આવેલું જાય નહિ.
દશવૈકાલિક સૂત્ર કેટલું મહત્ત્વપૂર્ણ છે. તેનું વર્ણન આમાં છે. પાંચમા આરાના છેડા સુધી આ સૂત્ર રહેશે.
- આજથી ૨૩ ચોવીશી પહેલા ૨૪મા તીર્થંકરના વખતમાં ૪૯૯ શિષ્યો. પોતાની મનપસંદ રીતે સ્વછંદપણે વર્તતા હતા. આથી તેમણે ગુરુને છોડી દીધા. અંદરો અંદર ઝઘડી દુર્ગતિમાં ગયા. આનું પણ વર્ણન છે.
દ્વાદશાંગીનું વર્ણન પણ છે. અંગારમર્દક આચાર્યનું વર્ણન છે. અનંત ચોવીશી પહેલા થયેલા કમલપ્રભાચાર્ય ઉત્સુત્ર પ્રરૂપણા કરવા દ્વારા, જરા સરખી ભૂલથી, બાંધેલા તીર્થકર નામકર્મના દલિયા વિખેરી અનંતસંસાર તેમણે વધાર્યો. તીર્થકર નામકર્મના ભેગા કરેલા દલિયાના નાશ કર્યો. ૭૦૦ વર્ષનું તેમનું આયુષ્ય હતું. વ્યંતર.. વાસુદેવની પત્ની અનેક તિર્યંચના ભવો... અનંતો સંસાર ભમી મહાવિદેહમાં જઇ મોક્ષે જશે.
આલોચનાના ચાર પ્રકાર આમાં બતાવવામાં આવ્યા છે. લક્ષ્મણા, રૂકમણિ, અષાઢાચાર્ય, નંદિષેણ (દરરોજને ૧૦ને પ્રતિબોધ કરતા).. વિગેરેનું વર્ણન આમાં છે.
સાધુ સાધ્વીની નિંદા જુગુપ્સા કરો તો ભયંકર પાપ બંધાય છે. ઉકાળેલું પાણી વાપર્યું માટે મને કોઢ થયો. માટે ભગવાને ઉકાળેલું પાણી પીવાનું કહ્યું તે બરાબર નથી.' આવું કહેવાથી. આવું વિચારવાથી અનંતા ભવો સાધ્વીના વધ્યા. દુ:ખ ત્રાસો સહન કર્યા. માટે સાધુ જેટલા આચારમાં ચુસ્ત તેટલું વધારે મસ્તક નમાવો. પણ જુગુપ્સા ક્યારેય પણ કરવી નહિ.
પોતે જે રીતે પાપ કર્યું હોય તે રીતે જ રજૂ કરવાનું એમાં લક્ષ્મણા સાધ્વીનું ઉદાહરણ છે.
બે ચૂલિકા છે. તેમાં પહેલી ચૂલીકામાં પ્રાયશ્ચિત લેવાથી શું લાભ શ થાય ? તે જણાવ્યું છે.
- સૂક્ષ્મતાનો સૂરજ-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org