________________
ભક્તપરિજ્ઞા પયન્ના
કર્તા - વિરભદ્ર ગણિ
મૃત્યુ સમયે ચારે આહાર ના પચ્ચખાણ કરાવે છે, એનું વર્ણન વિસ્તારથી આ પન્નામાં છે.
ત્રણ પ્રકારે અનશનનો ઉલ્લેખ છે. ૧. પાદપોપગમન, ૨. ઇંગિતીમરણ ૩. ભક્તપરિજ્ઞા
પાદપોગમન – મરણમાં વૃક્ષની જેમ બિસ્કુલ હલન ચલન વગર એક જ જગ્યાએ પડ્યા રહેવાનું હોય છે, આ અનશન માત્ર પ્રથમ સંઘયણી કરી શકે, ચારે આહારનો સર્વથા ત્યાગ હોય છે, અનશનપૂર્વક સર્વ જીવો સાથે ક્ષમાપના વિગેરે કરવાનું હોય છે તથા પર્વતની ગુફામાં નિર્જીવ શુધ્ધિભૂમિમાં સૂઇ જવાનું હોય છે, તેમાં આંખની પાંપણ પણ નહીં હલાવવાની. આ અનશનનો ૧૪ પૂર્વ સાથે વિરછેદ થયેલ છે.
ઇંગિત મરણ - ઇંગિતી એટલે ચેષ્ટા. આમાં કેટલાક ચેષ્ટાઓની છૂટ છે, ચારે આહારનો સર્વથા ત્યાગ છે, તડકામાંથી છાંયડામાં અને છાંયડામાંથી તડકામાં મર્યાદિત ભૂમિ સુધી જવાની છૂટ છે, બીજા પાસે સેવા ન લેવાય. તથા નિર્જન ગુફામાં આ અનશન કરવાનું હોય છે.
ભક્તપરિજ્ઞા - આ અનશનમાં ચાર અથવા ત્રણ આહારનો ત્યાગ હોય છે, બીજાની સેવા લઇ શકાય, ગચ્છમાં રહેવાનું, કોમળ સંથારા પર સૂઇ શકાય, પડખા ફેરવી શકાય વગેરે ઉત્કૃષ્ટથી આ અનશનમાં નિર્ધામણા કરાવનાર ૪૮ હોઇ શકે છે. તંદુલવૈચારિક પન્ના
પ૮૬ ગાથા ગદ્ય અને પદ્ય બન્ને સંમિશ્ર છે.
તંદુલ એટલો ચોખા..તેની ૪૬૦ કરોડ તથા ૮૦ લાખની સંખ્યા જણાવીને વૈરાગ્યનો ઉપદેશ આપેલ છે.
પ્રાચીન સમર્થ પ્રતિભાશાલી મહાપુરુષે બનાવેલ ગ્રન્થ છે. અન્ય ગ્રન્થમાં ન મળી શકે તેવું અશુચિ ભાવનાનું વર્ણન વિસ્તારથી બતાવ્યું છે.
પાછલા ભવનું આયુષ્ય પૂર્ણ કરી જીવ માતાના ગર્ભમાં કઇ રીતે ઔદારિક શરીર ક્રમપૂર્વક બનાવે ? કઈ રીતે આહાર કહે ? તે આહારનું કઈ રીતે પરિણમન થાય? યોનિનું સ્વરૂપ શું ? ગર્ભમાં જીવ કયા સ્વરૂપે રહે છે ? જન્મકાલે જીવ
શરીરના કયા ભાગથી બહાર નીકળે છે ? જન્મ પશ્ચાત કયા ક્રમે મોટો થાય પી છે, વગેરેનું વૈજ્ઞાનિક વર્ણન ખૂબ જ સુંદરતાથી અને ઝીણવટથી સમજાવેલ છે.
અનુપ્રેક્ષાનો અવસર-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org