SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ થવું પડે છે, જેવો ભાવ તેવો ભવ અને જેવી મતિ તેવી જ ગતિ જીવને મળે છે. આખું વર્ષ બરાબર ભણનારો વિદ્યાર્થી પણ જો પરીક્ષામાં પીછે હઠ થઇ જાય તો નાપાસ થઇ જાય છે, તેનું વર્ષ બગડી જાય છે, તેમ મૃત્યુ પણ આપણા જીવનની અંતિમ પરીક્ષા છે, તેમાં જો Fail થઈ ગયા તો બધું જ નકામું સમજવું. માટે જ પ્રભુ પાસે સમાધિમરણની પ્રાર્થના કરો છો ને ? મહાપચ્ચકખાણ પન્ના કર્તા વીરભદ્રગણિ અહીં પણ આઉરપચ્ચખાણ પન્નાની વાતોને સંક્ષેપમાં જણાવી છે. અહીં વિશેષ રૂપે સર્વવિરતિધર મુનિ ભગવંતોની અંત સમયની આરાધનાની વિધિ જણાવી છે. પ્રારંભમાં તીર્થકર ને વંદન કરીને સમ્યકત્વ પાપનું પચ્ચખાણ, દુષ્કત નિંદા, કરેમિભંતે સુત્ર ને ઉચ્ચરાવવું, ઉપધિ આદિ ત્યાગ રાગ દ્વેષ ત્યાગ, સર્વ જીવ ક્ષમાપના, ૧૮ પાપ નિંદા, એકત્વ સમત્વ ભાવનાની વિભાવના બતાવી છે. - ખમવું અને ખમાવવું એ જિનશાસનની શાશ્વતી મર્યાદા છે, આરાધનાનો સાર છે. છેલ્લે હિતશિક્ષા આપતા કહ્યું છે કે, પાપ કરવું દુષ્કર નથી, કારણ કે અનાદિ કાલના નીચ સંસ્કારો છે, તેથી રાગાદિ પાપોને આત્મા સેવે છે... પણ દુષ્કર કાર્ય કર્યું છે ? ગુરૂ મહારાજના પાસે નિર્મળ ભાવથી સ્વ દોષો જણાવીને ગુરૂના કથન પ્રમાણે પ્રાયશ્ચિત્તાદિ કરીને આત્માને નિર્મળ બનાવવો તે દુષ્કર કાર્ય છે. આવું કરનાર ખરેખર ધન્યવાદને પાત્ર છે. નિશીથ ચૂર્ણિમાં પણ કહ્યું છે, તં ન દુક્કર, જં પડિસેવિજ્જા , તે દુક્કર, જે સમ્મ માલોઇજજો.” અનાદિકાળમાં અનંતીવાર જીવ બાલ મરણથી મરણ પામેલ છે, માતાપિતાદિ ના સંબંધો પણ અનંતા થયા, પણ જીવ એકલો કર્મ બાંધે છે અને એકલો કર્મ ફળ ભોગવે છે, માટે સમભાવે રહેવું. તીવ્ર વેદના સમયે નરકગતિની વેદના વિચારવી હે જીવ નરકની પીડા આગળ આ વેદના શું વિસાતમાં છે ? કંઇ નથી, માટે તું મુંઝાયા વગર સામ્યભાવથી સહન કરજે. છે પરાર્વતનાનો પથ-આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy