SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ આનાથી અશુભ કર્મ શુભમાં બદલાઇ જાય છે. અશુભ કર્મોના અનુબંધો તૂટી જાય છે. . પંચસૂત્રમાં પણ આનો જ અધિકાર છે, આ પન્નાને અનુસરતું છે. પૂજ્ય આ. કનકસૂરિ મ. પંચસૂત્ર પ્રતિદિન ત્રણવાર ગણતાં હતા. સાંભળું છે કે પૂ.આ. પ્રેમસૂરિ મ. પણ રોજ નવવાર પંચસૂત્ર ગણતાં હતા. શરણ ગહ અનુમોદનાથી વિશિષ્ટ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, અને ઘણા કર્મોની નિર્જરા થાય છે. આથી તથાભવ્યત્વનો પરિપાક થાય છે, માનવજન્મની સુકૃતના થાય છે, માટે ત્રણ કાલ આ સાધના અવશ્ય કરવી જોઇએ, જેથી મુક્તિનું સુખ સમીપમાં આવીને રહે છે. આઉરપચ્ચકખાણ પયન્ના કર્તા - વીરભદ્રગણિ શ્લોક સંખ્યા - ૭૦ ચાતુર એટલે રોગ થી પીડાયેલ આત્માને પરભવની આરાધનાના અવસરે કરાવવા યોગ્ય પ્રત્યાખ્યાનની વાત આ પન્નામાં બતાવેલ છે. સર્વવિરતિના જીવનના મૃત્યુને પંડિતમરણ દેશવિરતિના જીવનના મૃત્યુને બાલપંડિતમરણ તથા અવિરતિમય જીવનના મૃત્યુને બાલમરણ કહેવાય છે. આ સૂત્રનું ઉદ્ગમ સ્થાન ભગવતી સૂત્રના ૧૩માં શતકનો સાતમો ઉદ્દેશો છે. જેમાં મરણના અનેક ભેદોનું વર્ણન છે. આરંભાદિના પચ્ચખાણ કરવા... સર્વ જીવો પ્રત્યે સમભાવ. કોઇ સાથે વેર-ઝેર નહિ. ધનાદિઆશાઓનો સર્વથા ત્યાગ. આહારસંખ્યા ગૌરવ, કષાય મમતા આદિનો ત્યાગ સર્વ જીવો સાથે ક્ષમાપના. વગેરે કહીને સાગાર પ્રત્યાખ્યાન કરે છે. સંથારાપોરસિમાં આવતી ગાથાઓનું પરિભાવન કરીને મૂલોત્તર ગુણોની આલોચના નિર્મળ ભાવે કરવી, જે રીતે બાળક સરળ બનીને બધી વાત કહી દે, તે રીતે આલોચના ગુરુ સમક્ષ કરવી જોઇએ. એવા પણ શાસ્ત્રમાં દાખલા છે કે આલોચના કરવા જઇ રહેલાને કેવલજ્ઞાન થઇ ગયેલ છે. જન્મ જીવન પછી મરણ સ્વાભાવિક છે. જે લેગ્યામાં મરણ થાય છે, તેવી જ લેગ્યામાં બીજા ભવમાં ઉત્પન્ન પૃચ્છનાની પધ્ધતિ-આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy