________________
વ્યક્તિ સ્વયં સામી વ્યક્તિના કેટલાક ગુણો ગાઇને પણ પછી તેની નિંદા કરતો હોય છે.
માનવ કહે છે. “અરે ! સાગર ! તું તો કેટલો ગંભીર છે, તારામાં તો કેટલા રત્નો અને સોનું ભરેલું છે, પણ...પણ... તું ખારો છે તે સારું નથી.”
પેલા ચાંદને કહે છે, જોતું કેટલો સૌમ્ય શીતલ અને પ્રકાશવાન છે, પણ તારામાં કલંક છે, તે ન હોત તો કેટલું સારું થાત ?”
પેલા ગુલાબને પણ કહે છે, “તું કેટલો મનોહર વિકસિત અને સુગંધી છે ? પણ તારી આસપાસ કેટલા કાંટા છે તે જરાય ઠીક નથી.”
પેલી કોયલને પણ કહ્યું, “તારો કંઠ કેટલો મધુર છે, પણ તું કેટલી કાળી છે ?
ત્યારે સાગર, ચાંદ, ગુલાબ, કોયલ વગેરે બધાએ કહ્યું કે, માનવ ! તું પણ કેટલો મહાન છે, પણ જો તારામાં દોષદષ્ટિ ન હોત તો કેટલું સારૂ થાત ?
કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રાચાર્યે વીતરાગ સ્તોત્રના ૧૬માં પ્રકાશમાં દુષ્કૃતગર્તા કરી છે. મારા ગુપ્ત પાપોને ધિક્કાર થાઓ.
કુમારપાળ મહારાજાએ સંસ્કૃત ભાષામાં દ્વાત્રિશિકા બનાવી છે, જેમાં હૃદયના તારને ઝણઝણાવી દે, તેવી દુષ્કૃતગર્તા ભરેલી છે. સુકૃત અનુમોદના
૧૭માં પ્રકાશમાં સુકૃત અનુમોદના અને શરણાગતિ છે. સુકૃતની તો અમુક ક્ષણ હોય છે પણ અનુમોદના તો જીવનભર થઇ શકે છે. પ્રભુ પ્રતિષ્ઠાની ક્ષણ તો નાની છે, પણ ચડાવા આટલા મોટા કેમ થાય ? કારણ તેની અનુમોદના લાંબી ચાલે છે, જીવનના અંતિમ ક્ષણ સુધી પણ.
પૂ. પંન્યાસજી ભદ્રંકરવિજયજી એ લખ્યું છે, કરણ બિંદુ છે, અનુમોદન સિંધુ છે.
તમે પર્યુષણમાં સ્વયં અઠ્ઠાઇ કેટલી કરી શકશો ? માત્ર એક જ...પણ અનુમોદના હજારો લાખો અઠ્ઠાઇની કરી શકો છો.
આજે સેંકડો છપાતી પત્રિકાઓ વાંચીને હૃદયથી સાચી અનુમોદના કરો.. તો ઘરે બેઠાં બેઠાં પણ તેનો લાભ ઉઠાવી શકો છો.
જીવનમાં પોતે કરેલા સુકૃતોની અનુમોદના પણ પરિપૂર્ણ કરવી જોઇએ.
અરિહંત સિદ્ધ આદિ પરમેષ્ઠિઓ દેવાત્માઓ, શ્રાવકો, સમ્યગદષ્ટિઓ, શ્રી માર્ગાનુસારી વગેરે દરેક આત્માના સગુણો અને સુકૃતોની યથાયોગ્ય અનુમોદના
અવશ્ય કરવી જોઇએ.
વાયનાની વિશાળતા-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org