________________
તેમના આજે વારસદારો પણ આ વારસાને સારી રીતે ટકાવી રાખે તેવું આપણે ઇચ્છીએ.
ખરેખર આ આગમપરિચમ વાચનાની શ્રેણિ સિધ્ધાચલના પવિત્ર ધામમાં આયોજિત થઇ છે. તે વાસ્તવમાં એક મહાન કાર્ય થયું છે, તે માટે પૂજ્ય આચાર્યશ્રી હેમચન્દ્રસાગર સૂરિજી આદિ સાધુવાદને યોગ્ય છે.
પ્રસ્તુતમાં મારે તમારી સમક્ષ પાંચ પયત્રાનો સંક્ષિપ્ત પરિચય આપવાનો છે,
પયન્નાના સંદર્ભમાં એક વાત કહી દઉં કે પ્રભુ મહાવીરના જેટલા પણ શિષ્યો હતા, તે તમામ એક એક પન્નાની રચના કરેલી છે. પ્રભુના શિષ્યોની સંખ્યા ૧૪ હજારની હતી, તો તે પ્રમાણે પયગ્રાઓની સંખ્યા પણ ૧૪ હજારની જાણવી... પણ વર્તમાન કાળમાં આપણને માત્ર દશ જ પયજ્ઞાઓ ઉપલબ્ધ થાય છે.
હવે આપણે ક્રમશ: જોઇએ પન્નાની અમુક વાતોને ચઉસરણપયન્ના
રચયિતા - પ્રભુ વીરના શિષ્ય શ્રી વીરભદ્રગણિ શ્લોક સંખ્યા - ૬૩ વિષય - ચતુઃ શરણગમન, દુષ્કૃત ગઈ અને સુકૃત અનુમોદના...
ગ્રન્થના પ્રારંભમાં છ આવશ્યકના અર્થાધિકારનું નિર્દેશન કરેલ છે. ૧) સામાયિકના પ્રથમ આવશ્યકમાં સાવદ્ય યોગનો ત્યાગ કરી નિરવઘ યોગની સાધના છે, તેથી સામાયિકથી ચારિત્રાચારની નિર્મલતા થાય છે.
ક્રોધને ક્ષમામાં માનને નમ્રતામાં, માયાને સરળતામાં તથા લોભને સંતોષમાં પલટાવવાની સાધના સામાયિક છે.
કહ્યું છે કે સામાયિકમાં સમતા | સામ્યભાવનો મહાન લાભ છે જ, પણ આનુષંગિક ફલરૂપે ર૯પર૮પ૯૫ થી અધિક પલ્યોપમનું દેવાયુષ્ય પણ બંધાય છે, એક સામાયિકના માધ્યમથી એક લાખ ખાંડી સોનામોહર (૩૨૦ તોલા સોનાથી અધિક)ના દાનથી પણ વધુ લાભ સંપ્રાપ્ત થાય છે, જો એ સામાયિક ભાવપૂર્ણ હોય તો ! (૨) ચતુર્વિશતિ સ્તવ નામના આવશ્યકથી સમ્યગદર્શન ગુણ યાને દર્શનાચારની નિર્મળતા થાય છે.
ચતુર્વિશતિ સ્તવ લોગસ્સ સૂત્રના માધ્યમથી પ્રભુનામનું સંકીર્તન થાય છે, પ્રભુની ભાવપૂર્ણ હાર્દિક ભક્તિ થાય છે, તેથી આરોગ્ય બોધિલાભ અને સમાધિની
સંપ્રાપ્તિ થાય છે. છે . (૩) વંદન - આવશ્યકથી જ્ઞાનાદિ ગુણો નિર્મળ બને છે, આથી ગુરુભક્તિનો
શ્રધ્ધામાં પૈર્ય-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org